આજે ભારતીય જનતા પાર્ટીનાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી મયંકભાઇ નાયક અને ડૉ. જશવંતસિંહ પરમારજીએ આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવાર તરીકે નામાંકનપત્ર ભર્યું, એ સમયે ઉપસ્થિત રહી સૌને ભવ્યાતિભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી.
આજે સુરત ખાતેનાં મારા કાર્યાલય ખાતે સનાતન ધર્મનાં સૌ સાધુ-સંતોએ પધરામણી કરી આશીર્વાદ પાઠવ્યા. આ ધન્ય અવસરે સાધુ-સંતશ્રીઓનું પૂજન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ સાધુ-સંતશ્રીઓને કોટિ કોટિ વંદન પાઠવ્યા ![]()