Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 02 Jun, 2023

    ‘સંપર્કથી સમર્થન’

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થતા આજે સુરત ખાતે ‘સંપર્કથી સમર્થન’ અભિયાન અંતર્ગત પદ્મશ્રી મથુરભાઈ સવાણીની શુભેચ્છા મુલાકાત લઈ એમને ભાજપા સરકારનાં વિવિધ કાર્યો અને યોજનાઓની માહિતી આપી, મથુરભાઇને મળીને આનંદ સાથે ધન્યતા અનુભવી.
    ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 02 Jun, 2023

    9 વર્ષ પરિવર્તનના, 9 વર્ષ સુશાસનનાં… 9 વર્ષ વિકાસનાં, 9 વર્ષ સંકલ્પનાં…

    9 વર્ષ પરિવર્તનના, 9 વર્ષ સુશાસનનાં…
    9 વર્ષ વિકાસનાં, 9 વર્ષ સંકલ્પનાં…
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘સંપર્કથી સમર્થન’ અભિયાન અંતર્ગત આજે પારસી રંગભૂમિનાં માનનીય અભિનેતા પદ્મશ્રી યઝદીભાઇ કરંજીયાનાં નિવાસ્થાને મુલાકાત લઇ એમને કેન્દ્ર સરકારનાં સેવા અને વિકાસ કાર્યો વિશે માહિતી આપી. પારસી રંગભૂમિનાં એનસાયક્લોપિડીયા ગણાતા યઝદીભાઇને મળીને ખૂબ આનંદ થયો.
    ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 01 Jun, 2023

    સુરત મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સર્સ મીટ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કર્યા, જે અંતર્ગત સુરત મહાનગર ખાતે યોજાયેલી સોશિયલ મિડીયા ઇન્ફ્લુઅન્સર્સ મીટમાં પ્રધાનમંત્રી શ્રીનાં નેતૃત્વમાં કરાયેલા વિકાસ કાર્યો-સેવા કાર્યો-વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટશન આપ્યું. આજનાં યુવાનો દેશનાં વિકાસમાં રસ લઇ રહ્યા છે, યુવાન ભાઇ-બહેનો સાથે રૂબરૂ સંવાદ સાધવાનો આનંદ મળ્યો.
    કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, પ્રદેશ સોશિયલ મિડીયા સહ કન્વીનર શ્રી મનન દાણી, સુરત સોશિયલ મિડીયા કન્વીનર શ્રી હરી અરોરા ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 01 Jun, 2023

    સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારના કાર્યકાળને 9 વર્ષ પુર્ણ થતા સુરત ખાતે પત્રકાર ભાઇ-બહેનો સાથે સંવાદ સાધ્યો.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની કેન્દ્ર સરકારમાં દેશ આત્મનિર્ભર બન્યો, મજબૂત સુરક્ષા સાથે વિકાસનાં અનેક નવા સોપાનો સર કર્યા. ‘9 साल बेसिमाल’ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા વિકાસકાર્યો-સેવા કાર્યો વિશે ચર્ચા કરી.
    આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત શહેરના પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા,મેયર શ્રીમતી હેમાલીબેન બોઘવાલા,ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતાબેન પાટીલ,શ્રી પ્રવીણભાઈ ઘોઘારી,શ્રી વિનુભાઈ મોરડિયા,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, શહેર પ્રભારી શ્રીમતી શીતલબેન સોની સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    More Details
  • 30 May, 2023

    મહેસાણા જિલ્લાની કારોબારી બેઠક

    ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓની કાર્યશક્તિ સંગઠનને વધારે મજબૂત બનાવે છે…
    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે મહેસાણા જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, આ બેઠકમાં ઉપસ્થિત રહેલા સર્વ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 29 May, 2023

    ‘સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ’

    #9YearsOfModiGovernment અંતર્ગત આજે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ‘સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર મીટ’માં વિકાસ-કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું. સમગ્ર ગુજરાતમાંથી પધારેલા સોશિયલ મિડીયા ઇન્ફલુઅન્સર્સને રૂબરૂ મળી એમની સાથે સંવાદ સાધી ખૂબ આનંદ થયો.
    આ પ્રસંગે આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ કો-ઓર્ડીનેટર શ્રી પંકજભાઈ શુક્લા, સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી સહિત પ્રદેશ હોદ્દેદારો અને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 29 May, 2023

    અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર 9 વર્ષ પૂર્ણ કરી રહી છે, આ અંતર્ગત યોજાનારા વિભિન્ન કાર્યક્રમો સંદર્ભે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પત્રકાર પરિષદ સંબોધી.
    કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે 9 વર્ષના વિકાસકાર્યો પર પ્રેઝન્ટેશન આપી સૌને માર્ગદર્શન પાઠવ્યું.
    આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ સહિત પ્રદેશ હોદ્દેદારો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સંસ્થાઓના તંત્રીશ્રીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 28 May, 2023

    નવા ભારતનું, નવું સાંસદ ભવન

    નવા ભારતનું, નવું સાંસદ ભવન !
    ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા, વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં અપાર ગૌરવસમા નવા સાંસદભવનનાં ઉદઘાટન પ્રસંગનાં સાક્ષી બન્યાનું સદભાગ્ય સાંપડ્યું, અપાર ધન્યતાનો અનુભવ કર્યો.
    આ સાંસદ ભવન એ માત્ર સાંસદ ભવન નથી, નવા ભારતની ઓળખ છે, નવા સપનાઓની નિશાની છે, પરિપૂર્ણ થઇ રહેલી ઇચ્છાઓનું પ્રતીક છે…આ નવું ભારત છે !!
    લોકશાહીનાં મંદિરને વંદન !

    More Details
  • 24 May, 2023

    સુરત ખાતે જિલ્લા-મહાનગર કાર્યાલય નિર્માણ અંગે યોજાયેલી બેઠક

    સુરત ખાતે જિલ્લા-મહાનગર કાર્યાલય નિર્માણ અંગે યોજાયેલી બેઠકને સંબોધી, યોગ્ય સૂચનો કર્યા.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત તેમજ જિલ્લા-મહાનગર પ્રમુખશ્રીઓ, કોષાધ્યક્ષશ્રી અને કાર્યાલય નિર્માણ માટેના ઈન્ચાર્જશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 24 May, 2023

    સુરત ખાતે યોજાયેલી 8 મહાનગરના પદાધિકારીશ્રીઓની બેઠક

    સુરત ખાતે યોજાયેલી 8 મહાનગરના પદાધિકારીશ્રીઓની બેઠકને સંબોધિત કરી.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં
    કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દર્શનાબેન જરદોશ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, સુરત મહાનગરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત આઠ મહાનગરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 23 May, 2023

    ખેડા જિલ્લાની કારોબારી બેઠક

    સશક્ત કાર્યકર્તા મજબૂત સંગઠનને વધુ મજબૂત બનાવી શકે છે !
    પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી ખેડા જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 23 May, 2023

    મહીસાગર અને પંચમહાલ જિલ્લાની કારોબારી બેઠક

    કાર્યકર્તાશ્રીઓ મજબૂત સંગઠનનો પાયો છે….
    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે મહીસાગર અને પંચમહાલ જિલ્લાની કારોબારી બેઠક યોજાઇ, જેમાં કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, મહીસાગર જિલ્લાના પ્રમુખ શ્રી દશરથભાઈ બારીયા સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

    More Details
1 2 3 19