સ્વસ્થ સમાજનાં નિર્માણમાં ડોક્ટરોનો ફાળો ખૂબ મોટો છે
સ્વસ્થ સમાજનાં નિર્માણમાં ડોક્ટરોનો ફાળો ખૂબ મોટો છે, સુરત મહાનગરનાં “ડોક્ટર્સ સ્નેહ મિલન સમારંભ”માં ઉપસ્થિત રહી સૌ ડોક્ટર મિત્રોને રૂબરૂ મળી ખૂબ આનંદ અને ઉર્જા અનુભવ્યા.
મોદી સરકારે સ્વસ્થ ભારતનાં નિર્માણ માટે અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે, આ યોજનાઓનો લાભ વધુને વધુ લોકોને મળે એ માટે સૌને અપીલ કરી. સૌને એમનાં સેવાકાર્ય માટે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.
આજે જૂનાગઢની પુણ્ય ધરા પર જૂનાગઢ મહાનગર કાર્યાલય ‘શ્રી ગિરનાર કમલમ્’નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું
આજે જૂનાગઢની પુણ્ય ધરા પર જૂનાગઢ મહાનગર કાર્યાલય ‘શ્રી ગિરનાર કમલમ્’નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ સાથે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંત-મહંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક નોંધાવે અને છવ્વીસે છવ્વીસ સીટ પર પાંચ લાખથી વધુની લીડ સાથે ભવ્ય વિજય પ્રાપ્ત થાય એ માટે સૌ કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું.
સુરતમાં યોજાયેલી CA-CS-CMAની મેગા કોન્કલેવમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
સુરતમાં યોજાયેલી CA-CS-CMAની મેગા કોન્કલેવમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને દેશનાં આર્થિક સ્વાસ્થ્ય અને સમાજની સુખાકારી માટે ડોકટર સમાન ગણાવ્યા છે. આવનારા સમયમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બને એ પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે અને મને વિશ્વાસ છે કે આ દેશનાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એમાં મહત્વનું યોગદાન આપશે.
આ કોન્કલેવમાં મોદી સરકારે કરેલા વિકાસ કાર્યો વિશે વાત કરી ત્યારે સૌનાં ચહેરા પર “મોદી જે બોલે છે એ કરીને બતાવે છે!”નો સંતોષ જોઇ આનંદની લાગણી અનુભવી.
સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. સૌની સાથે ઉર્જાસભર સમય પસાર કર્યો.
ઉત્તર ભારતીય સમાજનાં સ્નેહનિલનમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. સુરતને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય સમાજનાં સૌ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી. સૌને મળી ખૂબ આનંદ અનુભવ્યો.
ઉત્તરભારતીય સમાજનાં સ્નેહનિલનમાં ઉપસ્થિત રહી અનેરી ઉર્જા અનુભવી. સુરતને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય સમાજનાં સૌ સભ્યોને શુભેચ્છાઓ પાઠવી. સૌને મળી ખૂબ આનંદ અનુભવ્યો.
સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો.
આજે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને એમની કર્તવ્યનિષ્ઠા અનો રાષ્ટ્રસેવાનાં સંકલ્પ માટે અભિનંદન પાઠવ્યા.
આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરે અને છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતે એ માટે કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું.
રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર સોશિયલ મિડીયા મીટમાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ, પ્રભાવકોને સંબોધન કર્યું.
રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર સોશિયલ મિડીયા મીટમાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ, પ્રભાવકોને સંબોધન કર્યું.
સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન પાઠવ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી”, “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી વધુને વધુ લોકો સુધી પહોંચે અને વધુને વધુ લોકો એમાં જોડાતા જાય એ અંગે આહવાન કર્યું.
અમદાવાદ ખાતે મહિલા મોરચા દ્વારા યોજાયેલી “સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવ”ને સંબોધિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી
આ દેશની મહિલાઓ “શક્તિસ્વરૂપા” છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી નારી શક્તિની સુખાકારી માટે અનેક સફળ પ્રયાસો કર્યા હતા, માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એ પછી એમણે દેશની નારી શક્તિની સલામતી અને સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી. આજે અમદાવાદ ખાતે મહિલા મોરચા દ્વારા યોજાયેલી “સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવ”ને સંબોધિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સૌ શક્તિ સ્વરૂપા બહેનોને વંદન પાઠવ્યા !!
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠક યોજાઈ
લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠક યોજાઈ, આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરી દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ મેળવે એ માટે આહવાન કર્યું.
સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી.
આજે સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી.
મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી કઇ રીતે પહોંચાડી શકાય એની ચર્ચા કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી”, “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી થાય અને વધુને વધુ લોકો એમાં જોડાતા જાય એ અંગે જરૂરી માર્ગદર્શન પાઠવ્યું.
ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ, પ્રભાવકોને રૂબરૂ મળી અનેરી ઉર્જા અનુભવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને
દેશનાં ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે દેશનાં તમામ જીલ્લામાં કાર્યાલય બનાવવાનો સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પને સાકાર કરવા આજે રાજપીપળા ખાતે નર્મદા જીલ્લા ભાજપ કાર્યાલય “કમલમ્ નર્મદા”નું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલયો જનસેવાનું એક સરનામું છે, “સેવા એ જ સંકલ્પ”નાં સૂત્રને વરેલા ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સદાય તત્પર હોય છે. 
આજે કાર્યકર્તાશ્રીઓને માનનીય પ્રધાનમંત્રી શ્રીનો “400 પાર”નો સંકલ્પ સાકાર કરવા આહવાન કર્યું !