Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 19 Mar, 2022

    સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા 81મો દીવાન બહાદુર ગાંધી કપ અને 14મી સાર્વજનિક કપ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું.

    આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર સર્વ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં શહેર ભાજપા પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી ફ્રેનાઝ ચિપીયા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 19 Mar, 2022

    રક્ષક ગૃપનાં અધ્યક્ષ ગૌરવભાઇ પટેલ, ગૃપનાં સંગઠન મહામંત્રી શ્રી વિરલભાઇ વ્યાસ તેમજ ગૃપનાં સભ્યોએ શુભેચ્છા મુલાકાત લીધી.

    આ ગૃપ શહેરમાંથી જૂના જીન્સનાં પેન્ટ ઉઘરાવી એમાંથી સ્કૂલ બેગ તૈયાર કરી અંતરિયાળ ગામનાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 25 હજાર સ્કૂલ બેગનું વિતરણ કરી રહ્યું છે. આ બેગની બનાવટ દરમિયાન વિધવા બહેનો અને જરૂરિયાતમંદ બહેનોને રોજગાર પૂરો પડાયો છે. હું ગૃપનાં સર્વ સભ્યોને સેવાની આ ઉમદા કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવું છું.

    More Details
  • 16 Mar, 2022

    “જ્ઞાનોત્સવ” કાર્યક્રમ હેઠળ મારા જન્મ દિવસ નિમિત્તે 108 વિદ્યાર્થીઓને સી.આર.પાટીલ સ્કોલરશીપ એનાયત કરી.

    વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. અથાક પરિશ્રમ ઉચ્ચ શિક્ષા મેળવવામાં મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધવાની મજા પડી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, શ્રી મહેન્દ્રભાઇ પટેલ, સુરત મહાનગર પાલિકાનાં મેયર શ્રી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, સુરત ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, સુરત સોશિયલ મિડીયા વિભાગ કન્વીનર શ્રી હરી અરોરા, મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 16 Mar, 2022

    સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મારા જન્મ દિવસ નિમિત્તે યોજાયેલી રક્તદાન શિબિરમાં 800થી વધારે યુનિટ રક્ત એકત્ર થયું.

    મને આનંદ છે કે ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ જન્મદિવસ હોય કે કોઇ શુભ પ્રસંગ હોય દરેક વખતે સેવાકીય પ્રવૃતિને ધ્યાનમાં રાખી કાર્યક્રમની ઉજવણી કરે છે. રક્તદાન નિસ્વાર્થભાવે કરાય છે અને એટલે જ એને મહાદાન કહેવાયું છે. રક્તતુલા બદલ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરઘનભાઇ ઝડફીયા,શ્રી એમ.એસ.પટેલ, સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા,વડોદરાના મેયરશ્રી કેયુરભાઇ રોકડીયા, પ્રદેશના સહપ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર, સુરત શહેરના મહાંમંત્રીશ્રી કાળુભાઇ ભીમનાથ,સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ સહિત શહેરના હોદ્દેદારશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 16 Mar, 2022

    પાંડેસરાનાં ચીકુવાડી રો હાઉસ ખાતે મારા જન્મ દિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર સર્વ રક્તદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

    આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાટીલ, ભારતીય જનતા પાર્ટી ઉધના ઝોન ઇન્ચાર્જ શ્રી છોટુભાઇ પાટીલ, સહિત મોટી સંખ્યામાં ઉધના ઝોનનાં કાર્યકર્તાઓ અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 16 Mar, 2022

    મારા જન્મ દિવસ નિમિત્તે યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમરાવ નગર ખાતે મહા રક્તદાન શિબિર યોજી રક્તદાન એ મહાદાન છે

    સૂત્રને સાકાર કરવા બદલ સર્વનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગે યુથ ફોર ગુજરાતના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પાટીલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 16 Mar, 2022

    લિંબાયત વિધાનસભામાં આવેલા નવાગામ ગાયત્રી નગર ખાતે કોર્પોરેટરશ્રી ભાઇદાસ પાટીલ દ્વારા હરીભક્ત પલ્લવીબેન દોડનાં કિર્તન કાર્યક્રમમાં હાજરી આપી.

    મારા જન્મ દિવસ નિમિત્તે મને શુભકામનાઓ પાઠવી અપ્રતિમ સ્નેહ દાખવનાર સર્વ જનતા-જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂતજી, ડ્રેનેજ સમિતિનાં ચેરમેન શ્રી વિક્રમભાઇ પાટીલ, માજી કોર્પોરેટર શ્રી સુભાષભાઇ, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 06 Feb, 2022

    સયાજી વૈભવ સાર્વજનિક લાઇબ્રેરી નવસારીનાં પ્રમુખ અને વાંચે ગુજરાત અભિયાનનાં માનદ સચિવ મહાદેવભાઇ દેસાઇનાં દુખદ નિધન બાદ એમનાં પરિવારનાં સભ્યોને મળી સંવેદના વ્યક્ત કરી.

    More Details
  • 30 Jan, 2022

    વડોદરા ખાતે સૌની સાથે મળીને “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો અને શ્રી શૈલેષભાઇ મહેતાનાં પેટ્રોલપંપનું ઉદઘાટન કર્યું.

    આ પ્રસંગે શ્રી વ્રજકુમાર મહોદયશ્રી, મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રીઓ, શહેર અઘ્યક્ષશ્રી વિજયભાઈ શાહ, મેયરશ્રી કેયુરભાઈ રોકાડિયા, ડેપ્યુટી મેયર શ્રીમતી નંદાબેન જોશી, પ્રદેશ સહ પ્રવક્તાશ્રી ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 21 Jan, 2022

    કોરોના મહામારી સામેનું યુદ્ધ વધુ મજબૂત બને એ માટે સુરતનાં જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંપ્રતિ આઇસોલેશન સેન્ટર તૈયાર કરાયું, જેનું લોકાર્પણ કર્યું.

    આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ તેમજ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 13 Jan, 2022

    સુરતની કરૂણા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આઇ.સી.યુ સેન્ટર શરૂ કરાયું

    મકર સંક્રાતિનાં દિવસો દરમિયાન પતંગની દોરીઓ વડે ઘાયલ થયેલા પક્ષીઓને તરત જ સારવાર મળી રહે એ હેતુથી સુરતની કરૂણા સંસ્થા દ્વારા પક્ષીઓ માટે આઇ.સી.યુ સેન્ટર શરૂ કરાયું છે. આ આઇ.સી.યુ સેન્ટરને આજે કાર્યરત કરાયું. સુરત મહાનગર પાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી પરેશભાઇ પટેલ,કોર્પોરેટરશ્રી નેન્સીબેન શાહ, પૂર્વ કોર્પોરેટરશ્રી નીરવભાઇ શાહ, ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 27 Dec, 2021

    આહીર સમાજ સેવા સમિતિનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓએ સાથે મુલાકાત

    શ્રી આહીર સમાજ સેવા સમિતિ-સુરત દ્વારા યોજાનારા 28મા સમૂહ લગ્ન સમારોહનાં આયોજન પ્રસંગે આહીર સમાજ સેવા સમિતિનાં આગેવાનશ્રીઓ અને સભ્યશ્રીઓએ આમંત્રણ પત્રિકા પાઠવી. સૌને આ શુભ પ્રસંગની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ભરતભાઈ ડાંગર, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ તથા આહીર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
1 15 16 17 18 19