आज सूरत स्थित कार्यालय पर मध्यप्रदेश के यशस्वी मुख्यमंत्री माननीय श्री मोहन यादव जी का शुभागमन हुआ। उनसे भेंट कर अत्यंत प्रसन्नता हुई। कार्यालय की कार्यशैली, टीम वर्क और कार्यप्रणाली के बारे में उन्हें विस्तार से अवगत कराया।
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા સ્વર્ગસ્થ અંગદાતા મહર્ષભાઈ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા ‘ઋણ સ્વીકાર કાર્યક્રમ’માં ઉપસ્થિત રહી અંગદાતાશ્રીઓનાં પરિવારજનોનું સન્માન કરી ધન્યતા અનુભવી. અંગદાન એ મહાદાન છે-જેવી રીતે એક દિપમાંથી બીજો દિપ પ્રજ્વલિત કરી શકાય છે એવી રીતે અંગદાન થકી એક જીવનમાંથી બીજું જીવન પ્રજ્વલિત થઇ શકે છે-સૌ પરિવારજનો અને આ અંગે કાર્ય કરતી સંસ્થાઓને વંદન કર્યા !
શિક્ષણ સમિતિ સુરત મહાનગર દ્વારા આયોજિત કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉત્સવમાં ઉપસ્થિત રહી શાળા ક્રમાંક નંબર 206 અને 207માં બાલવાટિકા તથા ધોરણ 1 ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો, સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા.
આજે MY FM દ્વારા યોજાયેલી સાયક્લોથોનને પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સાઇક્લોથોનમાં ભાગ લેનારા સૌ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી !
આજે ભેંસાણની મુલાકાત દરમિયાન પરબધામ ખાતે પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસ બાપુના દર્શનનું સૌભાગ્ય સાંપડ્યું, એમનાં આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.