Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 27 Dec, 2021

    ગુજરાત ગોલ્ડ જ્વેલરી શોનો શુભારંભ

    ગાંધીનગર ખાતે “ગોલ્ડ જ્વેલરી શો”નું ઉદઘાટન કર્યું, સમગ્ર દેશમાંથી વેપારીઓ આ શોમાં ભાગ લેશે અને વેપારને એક નવી દિશા મળશે.
    ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ભરતભાઇ બોઘરા, રાજયના મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, ગોલ્ડ જવેલરી શોના આયોજન અને ગોલ્ડ ઓર્નામેન્ટસ હોલસેલ જવેલર્સ એસોસિએશનનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

    More Details
  • 26 Dec, 2021

    ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66kv લક્ષ્મીનારાયણ સબ સ્ટેશનનું ઉદ્ઘાટન

    સુરત ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ 66kv લક્ષ્મીનારાયણ સબ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું.
    આ કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

    More Details
  • 26 Dec, 2021

    આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે “ફીટ ઈન્ડીયા-ફીટ ગુજરાત” સાયક્લોથોન-2021નું ફ્લેગ ઓફ

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે “ફીટ ઈન્ડીયા-ફીટ ગુજરાત” સાયક્લોથોન-2021નું ફ્લેગ ઓફ કર્યું. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 25 Dec, 2021

    કરોડીયા રાજપૂત સમાજનું સ્નેહમિલન

    ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળાની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી રાપર તાલુકા રાજપૂત સમાજ સન્માન સમારોહમાં હાજરી આપી.

    More Details
  • 25 Dec, 2021

    જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 8 કરોડનાં ખર્ચે કૃષિ ભવનનું નિર્માણ

    જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વિશેષ સવલતો મળી રહે એ માટે 8 કરોડનાં ખર્ચે કૃષિ ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આજે એનું ખાતમૂહુર્ત કર્યું. પ્રવાસન મંત્રી શ્રી અરવીંદભાઇ રૈયાણી, પશુપાલન રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડા, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી કિરીટભાઇ પટેલ અને આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 19 Dec, 2021

    “એક સોચ નયી જીંદગી કી ઔર”

    કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ દિકરીઓ અને દિકરાઓને હાથ અર્પણ કરવાનાં સેવાકીય ઉપક્રમમાં હાજરી આપી, શ્રી રીતુબેન રાઠીને સેવાનાં આ અનોખા કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવી. જેમને એક હાથ કે બંને હાથ નથી એવા દિવ્યાંગ દિકરા-દિકરીઓ માટે આ કૃત્રિમ હાથ જીવનનાં આધારસમ બનશે.

    More Details
  • 18 Dec, 2021

    નેશનલ પાવરલીફટીંગ ચેમ્પિયનશીપ 2021

    સુરત શહેર પોલીસ તથા ભાંદેરી લેબ ગ્રુપ ડાયમંડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી નેશનલ પાવરલીફટીંગ ચેમ્પિયનશીપ 2021માં હાજરી આપી, સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
  • 03 Dec, 2021

    વિશ્વ દિવ્યાંગ દિવસ

    દિવ્યાંગો પાસે મનની શક્તિ છે. એ સૌ મનથી ખૂબ તાકાતવર છે. એમની તાકાતને વધુ મજબૂત બનાવવા અને એમનાં જીવનને વધુ સરળ બનાવવા કટિબદ્ધ થઇએ.
    આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે ત્યારે દિવ્યાંગ પ્રગતિ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા દિવ્યાંગોનાં સ્નેહ મિલન સમારંભમાં હાજરી આપી. સૌ દિવ્યાંગો સાથે પસાર કરેલો સમય સદાય યાદ રહેશે.
    ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, સુરત મહાનગર પાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 21 Nov, 2021

    સુરતમાં પાલ ખાતે તીર્થ આઈ હોસ્પિટલનો શુભારંભ

    સુરતમાં પાલ ખાતે તીર્થ આઈ હોસ્પિટલનો શુભારંભ કરાવ્યો, શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 21 Nov, 2021

    સુરતમાં બંસરી હોસ્પિટલનું ઉદઘાટન

    સુરતમાં ડો.મેહુલ ભાવસારની બંસરી હોસ્પિટલની સાયણ-દેલાડ ખાતે બીજી શાખા શરૂ થઇ, જેનું ઉદઘાટન કર્યું. ડો. મેહુલ ભાવસાર અને ડો.પારૂલ વડગામાને શુભેચ્છાઓ પાઠવી.
    મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી દિલીપભાઇ દેશમુખ અને અન્ય કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 16 Nov, 2021

    અંગદાન જનજાગૃતિ માટેની શોર્ટ ફિલ્મ તેમજ પ્રચાર-પ્રસાર માટેનાં પોસ્ટર્સનું લોકાર્પણ

    અંગદાન એ અન્યનાં જીવનને પ્રજ્વલિત કરતું મહાદાન છે, આજે અંગદાન જનજાગૃતિ અભિયાનનાં પ્રણેતા શ્રી દિલીપભાઇ દેશમુખની સાથે મળી અંગદાન રથનો શુભારંભ કરાવ્યો. આ સાથે જનજાગૃતિ માટેની શોર્ટ ફિલ્મ તેમજ પ્રચાર-પ્રસાર માટેનાં પોસ્ટર્સનું લોકાર્પણ કર્યું.
    અંગદાન રથ ગુજરાતમાં ગામડે ગામડે ફરશે અને જનજાગૃતિ આણશે. સમગ્ર રાજ્યની ૯૦૦થી વધારે હોસ્પિટલોમાં જનજાગૃતિ માટેનાં પોસ્ટરો લગાડવામાં આવશે.
    માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે મન કી બાતમાં જેનો ઉલ્લેખ કર્યો હતો એ અંગદાનનાં આ મહાઅભિયાનમાં જોડાવા આપ સર્વને અપીલ કરું છું.

    More Details
  • 15 Nov, 2021

    અમરેલીનાં લાઠી ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ

    ગામ -કાછારડી ખાતે અમરેલી જીલ્લા ભાજપનું સ્નેહમિલન, આઈ.સી.યુ. એમ્બ્યુલન્સનું લોકાર્પણ તથા માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીની રજત તુલાનો કાર્યક્રમ

    More Details
1 16 17 18 19