केन्द्रीय मंत्री श्री मनसुखभाई मांडविया जी के दिल्ली स्थित आवास पर उपराष्ट्रपति चुनाव से पूर्व माननीय राष्ट्रीय अध्यक्ष श्री जे पी नड्डाजी की विशेष उपस्थिति में गुजरात के राज्यसभा एवं लोकसभा सांसदों की महत्वपूर्ण बैठक आयोजित हुई, जिसमें उपस्थित रहकर सभी सांसदश्रीओं से मिलकर विशेष आनंद की अनुभूति हुई।
આજે લિંબાયત વિધાનસભા ખાતે કાર્યકર્તાશ્રી મંગળભાઇનાં ટી સ્ટોલની મુલાકાત લીધી, એમનાં ટી સ્ટોલ પર ચા પીધી અને મંગળભાઇ સાથે આનંદપૂર્ણ સમય પસાર કર્યો.
ગણપતિ બાપ્પાને સૌ ભારે હૈયે વસમી વિદાય આપી રહ્યા છે ત્યારે લિંબાયત, ગોડાદરા, પાંડેસરા અને ડીંડોલી ખાતે ચાલી રહેલા ગણેશ વિસર્જનની મુલાકાત લીધી, ગણપતિ બાપ્પાને આવતા વર્ષે ફરી જલ્દી પાછા ફરવા પ્રાર્થના કરી. સૌ નાગરિકોને ગણેશ વિસર્જનનાં અવસરની શુભેચ્છાઓ પાઠવી.
આજે ગણેશ વિસર્જનનાં શુભ અવસરે સુરત મહાનગરનાં ભાગળ અને ચોક વિસ્તારની મુલાકાત લીધી, વાજતે-ગાજતે વિસર્જીત થવા જઇ રહેલા શ્રી ગણેશનાં દર્શન કર્યા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. સૌને શાંતિપૂર્વક ગણેશ વિસર્જન સંપન્ન કરવા અપીલ કરી.
આજે પી.ટી.સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સનાં રસાયણ પી.જી.ભવનનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. પી.ટી.સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ સંસ્થા છોડમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી આજે વટવૃક્ષ બની છે એ માટે સૌને અભિનંદન પાઠવ્યા. નવનિર્મિત ભવન અને લેબ માટે દરેક દાતાશ્રીઓને શુભેચ્છાઓ !
આજે વહેલી સવારે સુરત ખાતે સન્ડે ઓન સાઈકલ “સાઈકલોથોન”નો પ્રારંભ કરાવતા આનંદની લાગણી અનુભવી. આપણે ત્યાં સાયકલિંગ માટેની જાગૃતિ વધી છે-સ્વસ્થતા માટે અને પ્રદૂષણ ના ફેલાય એ માટે નાગરિકો સાયકલ ચલાવતા થયા છે-સાયકલોથોનમાં જોડાયેલા સૌને અભિનંદન પાઠવ્યા.
ચક્ષુદાન પખવાડિયા મહોત્સવ અંતર્ગત યોજાયેલી રેલીમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. સૌ યુવા ડોક્ટર્સ દ્વારા સમાજમાં ચક્ષુદાન અંગે જાગૃતિ માટે જે કાર્ય થઇ રહ્યું છે એ જોઇએ ખૂબ પ્રસન્નતા થઇ. સૌ ડોક્ટર્સ ભાઇ બહેનોને શુભેચ્છા પાઠવી. ચક્ષુદાન થકી અન્ય વ્યક્તિને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને એમનાં જીવનમાં અજવાશ ફેલાય છે, સૌને ચક્ષુદાનનાં આ મહાઅભિયાનમાં જોડાવા અપીલ કરી.
ગુજરાતને વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે અમદાવાદ એરપોર્ટ ખાતેથી વિદાય લીધી, આ પ્રસંગે ઉપસ્થિત રહી એમને ભાવભરી વિદાય પાઠવી.