આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ભૂમિપૂજન કર્યું, આ ધન્ય પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. કોસમાડા ખાતે એન્થમ સર્કલ, આઇકોનિક રોડ ખાતે 3.51 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ ઈસ્કોન મંદિર પામશે.
આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી, ખૂબ ધન્યતાની લાગણી અનુભવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલાઓનાં ઉત્થાન માટે સતત કાર્યશીલ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં જન્મદિવસ નિમિત્તે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત આજે સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓ માટે યોજાયેલી સ્વસ્થતા શિબિરમાં ઉપસ્થિત રહી સૌ મહિલાઓને સ્વસ્થતાની શુભેચ્છાઓ પાઠવી.