Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 13 Aug, 2023

    સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન

    સુરત ખાતે સાંઇ રચના ઓપ્ટિકલ એન્ડ વોચ હાઉસનું ઉદઘાટન કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી.
    સુરત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, કિશોરભાઈ કાનાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 18 Jun, 2023

    ભરૂચનાં વાગરા ખાતે સંજોપીન ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ના નવા કેમિકલ પ્લાન્ટનું ઉદ્દઘાટન

    ભરૂચનાં વાગરા ખાતે સંજોપીન ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ના નવા કેમિકલ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી.
    રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી મનસુખ ભાઈ વસાવા ,ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 18 Jun, 2023

    બારડોલી તાલુકાના બામણી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા હોસ્પિટલનું ઉદ્દઘાટન

    બારડોલી તાલુકાના બામણી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું. સર્વ રોગ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો, લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ જોઇ આનંદ અનુભવ્યો.
    રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 18 Jun, 2023

    તાપીનાં વાલોડ ખાતે મલ્ટી કેર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન

    તાપીનાં વાલોડ ખાતે મલ્ટી કેર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ હોસ્પિટલને કારણે આરોગ્યની સુખાકારીમાં ઉમેરો થશે. રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી મોહનભાઈ ઢોડીયા, શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ શ્રી જયરામભાઇ ગામીત, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, સુરત ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિંગ બેંક ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 26 May, 2023

    શ્રી બાગેશ્વર ધામ પીઠાધીશ પૂજય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીનાં દિવ્ય દરબાર

    બાગેશ્વર સરકાર આયોજન સમિતિ સુરત દ્વારા લિંબાયતનાં નીલગીરી મેદાનમાં યોજાયેલા શ્રી બાગેશ્વર ધામ પીઠાધીશ પૂજય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીનાં દિવ્ય દરબાર અને દિવ્ય પ્રવચનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
    🚩जय श्री राम🚩

    More Details
  • 24 May, 2023

    રાધનપુર ખાતે નવનિર્મિત સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન

    રાધનપુર ખાતે નવનિર્મિત સદારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ હોસ્પિટલનાં નિર્માણથી રાધનપુરનાં નગરજનોની સ્વાસ્થ્ય સુખાકારીમાં ઉમેરો થશે. આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ પાઠવી.
    વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, વરિષ્ઠ આગેવાન શ્રી કે.સી. પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રી લવિંગજી ઠાકોર સહિત હોદ્દેદારો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 19 May, 2023

    આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરતી સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સાથે

    માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં આત્મનિર્ભર ભારતનાં સંકલ્પને સાકાર કરતી સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ સાથે શ્રી મુકેશભાઇ પટેલનાં ગ્રીનલેબ ડાયમંડ ખાતે શુભેચ્છા મુલાકાત કરી. વિશ્વનાં ફલક પર સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીનાં ગ્રોથ વિશે ચર્ચા કરી.

    More Details
  • 11 May, 2023

    લેબ ગ્રોન ડાયમંડ એસોશિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનાર્મેન્ટની ઓપનીંગ સેરેમની

    ક્રિકેટ એ સ્પોર્ટસનો મહત્વનો હિસ્સો તો છે જ, પણ મોજનો પણ હિસ્સો છે. આજે સુરત ખાતે લેબ ગ્રોન ડાયમંડ એસોશિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનાર્મેન્ટની ઓપનીંગ સેરેમનીમાં ઉપસ્થિત રહી ખૂબ આનંદ પ્રાપ્ત થયો. ક્રિકેટની રમત સાથે જોડાયેલા દિવસો યાદ આવી ગયા.

    More Details
  • 08 May, 2023

    વૈષ્ણવાચાર્ય પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિ

    વૈષ્ણવાચાર્ય પૂજ્ય 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિ વચ્ચે
    વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાતના 75 ગામોમાં રિચાર્જ બોરવેલ સ્થાપનાના ભાગરૂપે 31 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ સંપન્ન થયું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
    મેયર શ્રી હિતેશભાઈ મકવાણા સહિત હોદ્દેદારો, ધારાસભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 07 May, 2023

    સુરત ખાતે હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર “ધ વર્લ્ડ”નાં ભવ્ય શુભારંભ પ્રસંગે

    સુરત ખાતે હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટર “ધ વર્લ્ડ”નાં ભવ્ય શુભારંભ પ્રસંગે હાજરી આપી, સૌને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા. રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 07 May, 2023

    માંડવી ખાતે યોજાયેલા 156 દિકરીઓનાં સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત

    || कुर्यात सदा मंगलम् ||
    માંડવી ખાતે યોજાયેલા 156 દિકરીઓનાં સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહી દિકરીઓને આશીર્વાદ પાઠવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
    પરિણય યાત્રા ગૃહસ્થીમાં પરિણમી રહી છે ત્યારે બંને એક જ પંથનાં પ્રવાસી બની રહો અને એકબીજાનાં સુખ, દુખ, સફળતા, સંઘર્ષમાં સહભાગી બની સ્વધર્મ અને કર્તવ્યધર્મનું પાલન કરતા રહો એવી નવ દંપતિઓને શુભેચ્છાઓ પાઠવી.
    રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા,ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રી ઈશ્વરભાઈ પરમાર, શ્રી મોહનભાઈ કોંકણી, સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા

    More Details
  • 30 Apr, 2023

    સુરતની સૌથી જૂની અશક્તા આશ્રમ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજ અને કેથલેબનું ઉદ્ઘાટન

    સુરતની સૌથી જૂની અશક્તા આશ્રમ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજ અને કેથલેબનું ઉદ્ઘાટન કર્યું, એન્જીયોપ્લાસ્ટી, પેસમેકરની અત્યાધુનિક સુવિધાનો ઉમેરો થતા દર્દીઓેને મહત્તમ લાભ મળશે. અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
1 11 12 13 14 15 19