માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આણંદ ખાતે નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમનું ઉદઘાટન કર્યું તેમજ પેજ સમિતિ સંમેલનને સંબોધિત કર્યું. આણંદનાં મજબૂત સંગઠનને ડબલ એન્જીનની સરકાર અને યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા અપીલ કરી અને સર્વ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, આણંદ જીલ્લાનાં પ્રભારી શ્રી અમિતભાઇ ઠાકર, શ્રીમતી સોનલબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, વરિષ્ઠ આગેવાનશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મ દિવસની ઉજવણી નિમિત્તે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં ફાઇન આર્ટસ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના જીવન-કવન વિશે યોજાયેલા પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, પેઇન્ટિંગ્સ નિહાળ્યા અને સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, પ્રદેશ સહ પ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર, શહેર પ્રમુખ ડૉ. વિજયભાઈ શાહ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા અને કલારસિકો ઉપસ્થિત રહ્યા.
નવરાત્રિનાં પાવન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક સેલ દ્વારા આયોજીત “ગરબા 2022” અંતર્ગત 10થી વધારે ગરબા અને છપાકરાનું લોકાર્પણ
નવરાત્રિનાં પાવન પર્વ નિમિત્તે સાંસ્કૃતિક સેલ દ્વારા આયોજીત “ગરબા 2022” અંતર્ગત 10થી વધારે ગરબા અને છપાકરાનું લોકાર્પણ કર્યું. સંગીત કલાકારો પાર્થભાઇ ઠક્કર, પ્રેમભાઇ ઠક્કરને ભાજપાનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મુખ્ય પ્રવકતાશ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ સહ-પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર, સાંસ્ક્રુતિક સેલના સંયોજકશ્રી જનકભાઈ ઠક્કર, શ્રી યોગેશદાન ગઢવી સહિત કલા જગતના ખ્યાતનામ કલાકારો તેમજ પ્રદેશના પદાધિકારીઓ, સાંસ્કૃતિક સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના ભટલાઈ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલો ‘સાગર પરિક્રમા – 2022’ કાર્યક્રમમાં હાજરી આપી.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી એલ.મુરુગનજી, શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ મોરડીયા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને સાગરખેડુઓ ઉપસ્થિત રહ્યાં.
ગાંધીનગર ખાતે અનુ. જાતિ મોરચા દ્વારા આયોજિત “અનુજાતિ નારી શક્તિ વંદના સંમેલન” કાર્યક્રમમાં હાજરી આપી. સર્વ મહિલા શક્તિઓને વંદન કરી, એમનું સન્માન કર્યું.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા,અનુ. જાતિ મોરચાના પ્રમુખ શ્રી ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાઝા, કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી માન.સાધ્વી નિરંજન જ્યોતિજી, ગુજરાત સરકારના માન.મંત્રીશ્રીઓ શ્રી પ્રદીપભાઈ પરમાર, શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્યશ્રીઓ તેમજ રાષ્ટ્રીય તથા પ્રદેશ સંગઠનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
દિકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવામાં આવ્યા
સેવા પખવાડિયા અંતર્ગત ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાનાં સંયુક્ત ઉપક્રમે રૂપિયા 72 લાખ 72 હજારની રાષિમાંથી 7272 દિકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવામાં આવ્યા, આ પ્રસંગે હાજરી આપી, સર્વ દિકરીઓને આશીર્વાદ પાઠવ્યા.
આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, ભરૂચ જીલ્લા અધક્ષ શ્રી મારૂતિસિંહ અટોદરિયા, નર્મદા જીલ્લા અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઇ પટેલ, નાયબ દંડક શ્રી દુષ્યંતભાઇ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ગુજરાતના સાંસદશ્રીઓની બેઠક
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ગુજરાતના સાંસદશ્રીઓની બેઠક યોજાઈ.
આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત સાંસદશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
ગાંધીનગર ખાતે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય મહાપૌરનાં સમાપન સત્રમાં હાજરી આપી.
બે દિવસનાં આ સત્રમાં ભાજપા શાસિત મહાનગર પાલિકાઓના મેયરશ્રીઓ ઉપસ્થિત રહયા, મેયરશ્રીઓએ શહેરી વિકાસનાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી માર્ગદર્શન મેળવ્યું.
ગાંધીનગર ખાતે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ નમો ખેડૂત પંચાયત અંતર્ગત ઈ-બાઈકનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો લ્હાવો મળ્યો.
કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજકુમાર ચાહર, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ઇફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ સહિત કિસાન મોરચાના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે યોજાયેલા ‘જનપ્રતિનિધિ સંમેલન’માં હાજરી આપી.
કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રી દેવાભાઈ માલમ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
ટેકનોલોજીનાં આ સમયમાં વધુને વધુ યુવાનો સોશિયલ મિડીયા સાથે સંકળાયેલા હોય છે, ત્યારે ગુજરાતનાં વધુ ને વધુ યુવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય એ હેતુથી પંદર દિવસ માટેનો નવતર પ્રયોગ “BJP Digital Warriors’ કેમ્પેનનો શુભારંભ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતેથી કર્યો.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગના કો-ઓર્ડીનેટર શ્રી પંકજભાઈ શુક્લ, પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના સહ કન્વીનર શ્રી મનનભાઈ દાણી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરત મહાનગર ખાતે ઓલપાડ વિધાનસભામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનાં લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો.
આ સંવાદમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, રાજ્યકક્ષાનાં મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી વિનુભાઇ મોરડીયા, ધારાસભ્યશ્રીઓ, સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઇ, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા.