Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 26 Jan, 2022

    પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી અને રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પણ કરી.

    આપણો દેશ વિશ્વનાં સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ઊભરી આવ્યો છે, આજનાં દિવસે આપણાં બંધારણનાં ઘડવૈયા એવા ડો.બાબાસાહેબ આંબેડકરજીને પણ યાદ કરું છું અને એમને વંદન કરું છું. દેશને આઝાદી અપાવનાર સર્વ શહીદોનાં ચરણોમાં નતમસ્તક.

    More Details
  • 25 Jan, 2022

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતનાં સર્વ કાર્યકર્તાશ્રીઓ અને પેજ સમિતિનાં સભ્યો સાથે સંવાદ સાધ્યો,

    NAMO એપ પર જોડાઇને આ સંવાદ થકી માર્ગદર્શન મેળવ્યું.

    More Details
  • 20 Jan, 2022

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ 579 મંડળોની એક ઐતિહાસિક વર્ચ્યુઅલ બેઠક યોજી.

    જેમાં 40 હજારથી વધુ કાર્યકર્તાશ્રીઓ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરી.
    પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 19 Jan, 2022

    કચ્છનાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે એ હેતુથી નર્મદાનું વહી જતું વધારાનું 1 મિલિયન એકર ફૂટ પાણી તેમજ વિવિધ સિંચાઇ યોજનાઓનાં પ્રથમ તબક્કાના કામ માટે રૂપિયા ૪૩૬૯ કરોડના કાર્યોને વહીવટી મંજૂરી મળી, આ અંગે સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓએ આજે શુભેચ્છા મુલાકાત લીધી અને અભિનંદન પાઠવ્યા.

    કચ્છનાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે એ હેતુથી નર્મદાનું વહી જતું વધારાનું 1 મિલિયન એકર ફૂટ પાણી તેમજ વિવિધ સિંચાઇ યોજનાઓનાં પ્રથમ તબક્કાના કામ માટે રૂપિયા ૪૩૬૯ કરોડના કાર્યોને વહીવટી મંજૂરી મળી, 2.81 લાખ એકર વિસ્તારનાં 6 તાલુકાનાં 77 ગામોને આ લાભ મળશે અને પાણીની સમસ્યાનો નિકાલ આવશે.
    આ અંગે વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય અને જીલ્લાના સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓએ આજે શુભેચ્છા મુલાકાત લીધી અને અભિનંદન પાઠવ્યા.

    More Details
  • 19 Jan, 2022

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ 25મી જાન્યુઆરીએ ગુજરાત પેજ સમિતિનાં સભ્યો સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે

    એ સંદર્ભમાં આજે ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓ સાથે એક વર્ચ્યુઅલ બેઠક યોજી.

    More Details
  • 17 Jan, 2022

    ઉત્તર ગુજરાતનાં જાણીતા ગાયક શ્રી વિજયભાઇ સુવાળા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ પહેરાવી એમનું સ્વાગત કર્યું.

    આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ,શ્રી રજનીભાઇ પટેલ,શ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

    More Details
  • 16 Jan, 2022

    ‘વન ડે – વન ડિસ્ટ્રિક્ટ’ના અનુસંધાને આજે નવસારી જિલ્લાના દરેક મંડળની બેઠક

    ભાજપાના આગામી કાર્યક્રમ ‘વન ડે – વન ડિસ્ટ્રિક્ટ’ના અનુસંધાને આજે નવસારી સર્કિટ હાઉસ ખાતે નવસારી જિલ્લાના દરેક મંડળની બેઠક યોજી. કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી, એમને માર્ગદર્શન આપ્યું અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 13 Jan, 2022

    મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ફોટો અને વિવિધ સંદેશાઓ સાથેનાં પતંગોનું વિતરણ કર્યું.

    આશરે 25 લાખ પતંગો રાજ્યનાં દરેક શહેરો અને ગામડાઓમાં પહોંચાડાયા છે, જેમાં 2 લાખ પતંગો સુરતમાં વિતરિત કરાયા છે. આ પતંગો પર લખાયેલા વિવિધ સંદેશાઓ વડે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરત મહાનગર ભાજપ પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રીઓશ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કિશોરભાઈ બિન્દલ, શ્રી કાળુભાઇ ભીમનાથ, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, સાશક પક્ષ નેતા શ્રી અમિતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 06 Jan, 2022

    ગુજરાતનાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં આવેદન પત્ર

    ગઇકાલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પંજાબ ખાતે રેલી સંબોધિત કરવા જઇ રહ્યા હતા ત્યારે એમના કાફલાને ઇરાદાપૂર્વક અટકાવી પ્રધાનમંત્રીશ્રીની સલામતી સાથે ચેડા કરવાનું કાવતરૂ પંજાબ સરકાર દ્વારા કરાયું એ સંદર્ભે ગુજરાતનાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં આવેદન પત્ર પાઠવ્યું.
    પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પ્રદેશના મંત્રીશ્રી મહેશભાઇ કસવાલા, પ્રદેશના કોષાધ્યક્ષશ્રી સુરેન્દ્રભાઇ પટેલ, રાજયના મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, શ્રી જીતુભાઇ વાઘાણી, રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી,સાંસદશ્રી નરહરીભાઇ અમીન, સાંસદશ્રી હસમુખભાઇ પટેલ, પ્રદેશના સહકોષાધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઇ શાહ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 05 Jan, 2022

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી કોળી અને ઠાકોર સમાજની બેઠકમાં હાજરી આપી.

    આ બેઠકમાં પ્રદેશ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ, પરમ પૂજ્ય શ્રી ભારતી બાપુ, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી આર.સી.મકવાણા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રી ભરતસિંહ ડાભી, પૂર્વ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી દિલીપભાઈ ઠાકોર સહિત ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 05 Jan, 2022

    કાપડ પર 5 % GST યથાવત રહેતા ટેક્ષટાઇલ એસોસિએશન સાથે શુભેચ્છા મુલાકાત લઇ આભાર અને આનંદ વ્યક્ત કર્યો.

    કાપડ પર 5 % GST યથાવત રહેતા ASSOCHAM, સ્પીનીંગ એસોસિએશન, વિવિંગ એસોસિએશન, મસ્કતિ કાપડ માર્કેટ, મહાજન, ન્યુ ક્લોથ માર્કેટ મહાજન, GCCI ટેક્ષટાઇલ વિંગ, પ્રોસેસર એસોસિએશન, ટેકનિકલ ટેક્ષટાઇલ એસોસિએશનનાં ચેરમેનશ્રીઓ અને સેક્રેટરીશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લઇ આભાર અને આનંદ વ્યક્ત કર્યો.

    More Details
  • 04 Jan, 2022

    સાબરમતીનાં કિનારે વિવિધ સંપ્રદાયનાં 1000થી વધુ સંતો-મહંતો સાથે યોજાયેલા ‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં શ્રી કાશી વિશ્વનાથ ધામને મળેલા ભવ્ય અને પવિત્ર સ્વરૂપ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીનાં ભવ્ય અભિવાદન અને આશીર્વાદ આપવા સાબરમતીનાં કિનારે વિવિધ સંપ્રદાયનાં 1000થી વધુ સંતો-મહંતો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજીની વિશેશ ઉપસ્થિતિમાં યોજાયેલા ‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ’માં હાજરી આપી.
    આ સાથે સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં સાબરમતીની સમૂહ આરતી કરી, સંતોના ભંડારામાં ભોજન પ્રસાદ પીરસવાનો લ્હાવો લીધો.

    More Details
1 61 62 63 64 65