Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 12 Apr, 2023

    શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નવાણસત્રમાં પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના સ્વમુખે કથાનું રસપાન

    વડોદરા ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નવાણસત્રમાં પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના સ્વમુખે કથાનું રસપાન પ્રાપ્ત કરી અતિધન્યતા સભર પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
    ભાગવત અતિ મહત્વપૂર્ણ ગ્રંથ છે, કારણ કે એમાં વૈશ્વિકથી લઇ આધ્યાત્મિક જ્ઞાન સમાયેલું છે, આવા જ્ઞાનની પ્રાપ્તિ પરમ સંતોષની અનુભૂતિ આપે છે.
    આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ સહ પ્રવક્તા ડો. ભરતભાઇ ડાંગર સહિત હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 03 Apr, 2023

    બુથ સશક્તિકરણ અભિયાન-2023

    બુથ સશક્તિકરણ અભિયાન-2023 અંતર્ગત નવસારી જીલ્લામાં યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું.
    આ બેઠકમાં રાજ્ય સરકારના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ તેમજ જીલ્લા પ્રભારી શ્રીમતી ઉષાબેન પટેલ,જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રીશ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 02 Apr, 2023

    ડોક્ટર્સ દ્વારા CPR ટ્રેનિંગ અભિયાનનો સુરત ખાતેથી પ્રારંભ કરાવી ભાજપાનાં મૂળભૂત સંસ્કાર સાકાર થઇ રહ્યાની અનેરા આત્મસંતોષની લાગણી અનુભવી.

    CPR એક એવી ટ્રેનિંગ છે, જેની મદદથી હાર્ટ એટેક જેવી કોઇપણ પ્રકારની મેડિકલ ઇમરજન્સીમાં કોઇપણ વ્યક્તિનો જીવ બચાવવામાં મદદ કરે છે.
    યુવાનોમાં હાર્ટ એટેકની સમસ્યા વધી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓને ડોક્ટર્સ દ્વારા CPR ટ્રેનિંગ અભિયાનનો સુરત ખાતેથી પ્રારંભ કરાવી ભાજપાનાં મૂળભૂત સંસ્કાર સાકાર થઇ રહ્યાની અનેરા આત્મસંતોષની લાગણી અનુભવી.
    “સેવા” એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે, ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓએ પ્રત્યેક પરિસ્થિતિમાં લોકોની વચ્ચે રહી આ સંસ્કારને સદાય સાકાર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે અને એટલે જ ગુજરાતભરમાં કાર્યકર્તાશ્રીઓને આ ટ્રેનિંગ આપવાનું મહાઅભિયાન શરૂ કરાયું છે.
    આ ટ્રેનિંગ આપી રહેલા ગુજરાતનાં 1200થી વધારે ડોક્ટર્સનો આભાર માનું છું.

    More Details
  • 31 Mar, 2023

    સુરત શહેરની કારોબારી બેઠકને સંબોધિત કરી.

    ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યાલય ખાતે યોજાયેલી સુરત શહેરની કારોબારી બેઠકને સંબોધિત કરી. કાર્યકર્તાશ્રીઓ ખભે-ખભો મેળવી અથાક પરિશ્રમ સાથે કાર્ય કરી રહ્યા છે-આ માટે એમનો આભાર માન્યો અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા આહવાન કર્યું.
    આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 19 Mar, 2023

    સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે શ્રી અન્ન મિલેટ્સ ફૂડ ફેસ્ટ યોજાયો

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ(જાડા ધાન)ની ખેતી અને તેના આહારમાં ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે, એ અંતર્ગત આજે સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે શ્રી અન્ન મિલેટ્સ ફૂડ ફેસ્ટ યોજાયો, જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
    મિલેટ્સ સ્વાસ્થ-વર્ધક છે અને આહારમાં એનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે કુકિંગ કોમ્પિટીશનમાં બહેનોએ બનાવેલી મિલેટ્સની જુદી જુદી વાનગીઓનો સ્વાદ માણવાનો સવિશેષ આનંદ મળ્યો.
    શ્રી દિનેશભાઇ રાજપુરોહિત, ઉપસ્થિત સર્વ બહેનો અને સૌને અભિનંદન પાઠવ્યા.

    More Details
  • 18 Mar, 2023

    ‘પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ’ના નવમા સત્રમાં ‘ચૂંટણી પ્રબંધન’ વિષય પર માર્ગદર્શન આપવાનો અવસર

    જૂનાગઢનાં માલણકા ખાતે યોજાયેલા ‘પ્રદેશ પ્રશિક્ષણ વર્ગ’ના નવમા સત્રમાં ‘ચૂંટણી પ્રબંધન’ વિષય પર માર્ગદર્શન આપવાનો અવસર સાંપડ્યો.
    આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી વિનોદભાઈ ચાવડા અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ તથા સત્રના અધ્યક્ષ શ્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 16 Mar, 2023

    ઉધના ઝોન ભાજપા પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઉપસ્થિત

    આજે મારા જન્મદિવસે યુથ ફોર ગુજરાત અને ઉધના ઝોન ભાજપા પરિવાર દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ઉપસ્થિત રહી સર્વ રક્તદાતાઓને રૂબરૂ મળવાનો અવસર મળ્યો. રક્તદાનના મહાદાન સાથે જનસેવાનું પુણ્યકાર્ય કરનાર સર્વ રક્તદાતાઓનો આભાર માનું છું. શ્રી છોટુભાઇ પાટીલ અને સર્વ કાર્યકર્તાશ્રીઓનો અપ્રતિમ સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું

    More Details
  • 12 Mar, 2023

    લિંબાયત વિધાનસભામાં મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ

    જનસેવા એ જ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત અને પાયાનાં સંસ્કાર રહયા છે. લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલનાં માર્ગદર્શન હેઠળ મારા જન્મદિવસની આગોતરી ઉજવણી નિમિત્તે લિંબાયત વિધાનસભામાં મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ જેમાં આંખની તપાસ અને વિના મૂલ્યે આંખનું ઓપરેશનનો પણ સમાવેશ થાય એવા ઉમદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું, આ પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ આનંદ થયો. આપ સૌ સ્નેહને હૃદયપૂર્વક વંદન કરું છું.
    આ સાથે આયુષ્યમાન- ભારત કાર્ડ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ-2013 ( NFSA )હેઠળ રેશનિંગ કાર્ડ માં નવા અનાજ લેવા માટેની સુવિધા મેળવવા માટેનો કેમ્પ પણ યોજાયો.
    બહુ મોટી સંખ્યામાં આ કેમ્પનો નાગરિકોએ લાભ લીધો. હું ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીઓ મનુભાઇ પટેલ, સંદિપભાઇ દેસાઇ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, કોર્પોરેટરશ્રીઓ, સર્વ કાર્યકર્તાશ્રીઓ અને કેમ્પમાં ભાગ લેનાર સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

    More Details
  • 11 Mar, 2023

    ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન

    ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું, જનસેવા એ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સંસ્કાર છે અને એને સદા-સર્વદા ફળિભૂત થતા જોઇ અત્યંત આનંદની લાગણી અનુભવતો રહું છું. રમેશભાઇને શુભેચ્છાઓ પાઠવું છું.
    પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, શ્રી રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 05 Mar, 2023

    સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ હેતુ અંતર્ગત સુરત ખાતે પોલીસ આવાસો લોકાર્પિત

    નાગરિકોની શાંતિ, સુખાકારી, સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ અને એમનાં પરિવારની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય એ હેતુ અંતર્ગત સુરત ખાતે પોલીસ આવાસો લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી.
    ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 03 Mar, 2023

    ભરૂચ ખાતે યોજાયેલા મતદાતા ઋણસ્વીકાર કાર્યક્રમ

    આજે ભરૂચ ખાતે યોજાયેલા મતદાતા ઋણસ્વીકાર કાર્યક્રમમાં સર્વ મતદાતાઓને નતમસ્તક વંદન કર્યા. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મતદાતાશ્રીઓને રૂબરૂ મળવાનું સૌભાગ્ય સાંપડ્યું. ખૂબ આનંદ થયો.
    આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિત આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 03 Mar, 2023

    નાગરિકોને મુસાફરીમાં રાહત મળે એ માટે સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા વધારવા

    દેશનાં અન્ય શહેરો સાથે સુરતની એર કનેક્ટિવિટી વધે અને સુરત તેમજ આસપાસનાં વિસ્તારનાં નાગરિકોને મુસાફરીમાં રાહત મળે એ માટે સુરત એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યા વધારવા માટેનાં સફળ પ્રયાસો કરાઇ રહ્યા છે, જે અંતર્ગત આજે એર એશિયાની સુરત-દિલ્હી ખાતેની સૌ પ્રથમ ફ્લાઇટનું ઉદઘાટન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.

    More Details
1 52 53 54 55 56 68