આજે 163 – લીંબાયત વિસ્તારમાં કંઠી મહારાજ મંદિરથી નીલગીરી સર્કલ સુધીના રોડને જોડતા ફ્લાય ઓવરબ્રીજના કામનું ખાતમુહૂર્ત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. સુરત શહેર બ્રીજ સિટી તરીકે ઓળખાય છે. આ ફ્લાય ઓવરથી નાગરિકોની સુખાકારી અને સુગમતામાં ઉમેરો થશે.
આજે સુરત ખાતે સાઉથ ઝોન–એ ઉધના વિસ્તારમાં નવીન ફ્લાયઓવર પાસે સુરત–નવસારી રોડને ક્રોસ કરતા રસ્તા પર 2×3 લેનના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ બ્રીજને કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને લોકોની સુગમતામાં ઉમેરો થશે.
આજે સુરત ખાતે શ્રી નિકુંજભાઇ સિદપરાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી, એમનાં પરિવારનાં સૌ સભ્યોને મળીને આનંદની લાગણી અનુભવી.
આજે નવી દિલ્હીનાં ‘ગરવી ગુજરાત ભવન’ ખાતે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ગુજરાતના સાંસદશ્રીઓ સાથે યોજાયેલા રાત્રિભોજન અને સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી સૌ સાથી સાંસદશ્રીઓ સાથે રાજ્યના વિકાસલક્ષી કાર્યો અને જનસેવાના વિવિધ વિષયો પર ચર્ચા કરી.
શ્રી મરોલી કાંઠા વિભાગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વી.એમ.પટેલ પ્રી-પ્રાયમરી ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ અને શ્રી એસ.જે.પટેલ પ્રાયમરી ઇંગ્લીશ મિડીયમ સ્કૂલનાં દિવ્ય દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી. સૌ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ટ્રસ્ટનાં સભ્યશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા.
આજે સુરત ખાતે મેગ્નસ હાર્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. ડો. ભાર્ગવભાઇ પટેલને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.