લિંબાયત વિસ્તારમાં વિદ્યાર્થીઓને સર્વાંગી કેળવણી આપતી સરસ્વતી વિદ્યામંદિરનાં નવ-પલ્લિત ભવનનાં પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.
આજે સુરત મહાનગર ખાતે શ્રી કિશોરભાઇ માંગરોળિયાનાં “પ્રમુખ ઇલેક્ટ્રોનિકસ”નું ઉદઘાટન કર્યું, કિશોરભાઇ અને પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સનાં સભ્યોને શુભેચ્છાઓ પાઠવી.
આજે પૂજ્ય મોરારી બાપુની રામકથામાં ઉપસ્થિત રહી બાપુનાં દર્શન અને રામકથાનું શ્રવણ કરી ધન્યતા અનુભવી. પૂજ્ય બાપુ એમની કથાનાં માધ્યમથી સમાજને કુરિવાજો અને વ્યસનથી દૂર કરવા સંદેશો આપતા રહે છે, એમનો આ વિચાર-યજ્ઞ સદાય પ્રજ્જવલિત રહે એવી કામના.