Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 22 May, 2023

    રાજપૂત સંસ્થાઓ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય

    હિંદવા સૂરજ મહારાણા પ્રતાપજીની જયંતી નિમિત્તે જામનગર શહેર અને જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા સર્વને શુભેચ્છાઓ પાઠવ્યા. “રક્તદાન” જેવું મહાદાન કરનાર સર્વ રક્તદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો.
    આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ મંત્રી શ્રી આર.સી.ફળદુ, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત હોદ્દેદારો, ધારાસભ્યો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 22 May, 2023

    બીલીમોરા ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ડે-નાઈટ કબડ્ડી સ્પર્ધાનું ઉદ્ઘાટન

    કબડ્ડી ખેલાડીઓની ચપળતા તો વધારે જ છે પણ સાથે-સાથે ખેલાડીઓની ત્વરિત નિર્ણયશક્તિને પણ મજબૂત બનાવે છે. આજે બીલીમોરા ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ડે-નાઈટ કબડ્ડી સ્પર્ધાનું ઉદ્ઘાટન કરતા આનંદની લાગણી અનુભવી. આપણી ભારતીય રમતનું પ્રતિનિધિત્વ કરતા સર્વ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી.
    આ પ્રસંગે ધારાસભ્ય શ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ,જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નગરપાલિકા ના પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 20 May, 2023

    નવસારીનાં લૂન્સીકૂઇ મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ રમત-ગમતને હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. આજે નવસારીનાં લૂન્સીકૂઇ મેદાન ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત 13 વોર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનાં ટ્રોફી વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો. રમતગમતની ભાવના ભવિષ્યમાં તમામ રમતવીરો માટે સફળતાના દ્વાર ખોલશે, એનો મને વિશ્વાસ છે.
    આ પ્રસંગે ધારાસભ્ય શ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, નગરપાલિકા ના પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 18 May, 2023

    છોટા ઉદેપુરનાં નસવાડી ખાતે શાળા અને છાત્રાલયનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત

    છોટા ઉદેપુરનાં નસવાડી ખાતે શાળા અને છાત્રાલયનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
    આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 18 May, 2023

    કેશરપુરા ગામ ખાતે આયોજીત કાર્યકર્તા સંમેલન

    છોટા ઉદેપુર નસવાડીના કેશરપુરા ગામ ખાતે આયોજીત કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી. આ સંમેલનમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યશ્રી ધીરુભાઈ ભીલ સહિત જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડયા.
    કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, શ્રી ભીખુભાઈ પરમાર, સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 17 May, 2023

    પ્રદેશ કારોબારી 2023

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રાસ્તાવિક ઉદબોધન કરી, કારોબારી સભ્યોને માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 17 May, 2023

    “મન કી બાત”નાં વિચારોનું ‘100 Quotes of Mann Ki Baat’

    પ્રદેશ કારોબારીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નાં વિચારોનું ‘100 Quotes of Mann Ki Baat’ શીર્ષક સાથે સંપાદિત થયેલા પુસ્તકનું વિમોચન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
    “મન કી બાત”નાં 100 એપિસોડમાંથી સંપાદિત થયેલા 100 સુવિચારો જીવનમાર્ગ બતાવી, જીવનપથને વધુ ઉજ્જવળ બનાવે છે.

    More Details
  • 16 May, 2023

    બોટાદ અને મોરબી જિલ્લાની કારોબારી

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે બોટાદ અને મોરબી જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ, સૌ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, બોટાદ જિલ્લા શ્રી પ્રમુખ મયુરભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 15 May, 2023

    સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી સુરેન્દ્રનગર જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 15 May, 2023

    રાજકોટ જિલ્લાની કારોબારી

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાયેલી રાજકોટ જિલ્લાની કારોબારી બેઠકમાં હાજરી આપી, કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન આપ્યું.
    પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી રજનીભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 14 May, 2023

    “બુથ મતદાતા સંપર્ક અભિયાન”

    “બુથ મતદાતા સંપર્ક અભિયાન” અંતર્ગત આજે સુરત મહાનગરનાં વોર્ડ નંબર 20નાં મતદાતાશ્રીઓ-કાર્યકર્તાશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી. સૌ સાથે સમય પસાર કરી સંવાદ સાધવાનો અનેરો આનંદ પ્રાપ્ત થયો.

    More Details
  • 13 May, 2023

    સુરત ખાતે નવા કાર્યાલયનું નિર્માણ

    સુરત ખાતે નવા કાર્યાલયનું નિર્માણ થઇ રહ્યું છે, એ દરમિયાન આજે વૈકલ્પિક કાર્યાલયમાં વિધિવત પ્રવેશ કર્યો.

    More Details
1 49 50 51 52 53 68