Political Initiatives Footer

INITIATIVE - POLITICALS

  • 25 Jun, 2023

    “ગ્રીન ગ્રોથ” વિષય પર ચર્ચા

    અમદાવાદ ખાતે ITC નર્મદા હોટલ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજીની અધ્યક્ષતા વચ્ચે “ગ્રીન ગ્રોથ” વિષય પર ચર્ચા કરી.
    આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, શહેર પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સહિત આગેવાનો અને ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસિયેશનના પ્રમુખો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 23 Jun, 2023

    ‘અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા

    પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત આયોજિત ‘અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા’માં 182 વિધાનસભાના તમામ 51,931 વિસ્તારકોને વર્ચ્યુઅલ માર્ગદર્શન પાઠવ્યું.
    આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 22 Jun, 2023

    રાજકોટ ખાતે વિશાળ જનસભાને સંબોધિત

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષ પૂર્ણ થવા પર રાજકોટ ખાતે વિશાળ જનસભાને સંબોધિત કરી-રાજકોટનાં નગરવાસીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું.
    આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળા, કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શ્રી મોહનભાઈ કુંડારીયા, શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, આગેવાનો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 22 Jun, 2023

    પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં જન્મ દિવસ નિમિત્તે

    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનાં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલી રજતતુલા અને રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી નીતિનભાઇને શુભેચ્છાઓ પાઠવી.
    આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર તેમજ સંતો-મહંતો, હોદ્દેદારો સહિત સામાજિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 21 Jun, 2023

    નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસ

    નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
    માનીનય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સુખાકારી, અપ્રતિમ વિકાસનાં નવ વર્ષ પૂર્ણ કર્યા એ નિમિત્તે મોદી સરકારનાં વિકાસકાર્યો, વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરી. ઉપસ્થિત રહેલા સર્વ નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
    આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રીઓ શ્રી આર. સી. પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રીમતી સંગીતાબેન પાટીલ, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજભાઈ ઝાંઝમેરા, જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી જનકભાઈ બગદાણા તેમજ પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 21 Jun, 2023

    યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય। સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્ચેત ।

    યોગસ્થ : કુરુ કર્માણિ સડું, ત્યકતવા ધનગ્જય।
    સિધ્ય સિધ્યો : સમો ભૂત્વા સમત્વં
    યોગ ઉચ્ચેત ।
    સુરત ખાતે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દોઢ લાખ લોકોએ યોગાભ્યાસ કરી વિક્રમ સર્જ્યો.
    માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં યોગ તાલીમકર્મીઓનું પુરસ્કારથી સન્માન કર્યું અને યોગના વિવિધ પાસાઓને આવરી લેતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું.
    યોગ આપણી પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વભરનાં લોકોને યોગ માટે જાગૃત કર્યા છે.

    આ અભૂતપૂર્વ રેકોર્ડ સર્જનાર તમામ સુરતવાસીઓને

    અભિનંદન પાઠવું છું

     

    More Details
  • 18 Jun, 2023

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નો કાર્યક્રમ આજે તાપી જીલ્લાનાં વાલોડનાં બુટવાડા ખાતે

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નો કાર્યક્રમ આજે તાપી જીલ્લાનાં વાલોડનાં બુટવાડા ખાતે સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે મળીને નિહાળ્યો.
    રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીઓ શ્રી મોહનભાઈ ઢોડીયા, શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ શ્રી જયરામભાઇ ગામીત, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 18 Jun, 2023

    ‘વેપારી તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન’

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, વિકાસ અને લોક-કલ્યાણનાં નવ વર્ષ પૂર્ણ થયા.
    નવસારી અને સુરત લોકસભા મતવિસ્તારનાં ‘વેપારી તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન’માં યોજાયેલા સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
    ડાયમંડ, ટેક્સટાઇલ, જ્વેલર્સ, બિલ્ડર અને કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોનો સમાજ અને ઉદ્યોગનાં વિકાસમાં સવિશેષ ફાળો રહ્યો છે. સૌને મળીને ખૂબ આનંદ પ્રાપ્ત થયો. સૌ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓ વિશે ચર્ચાઓ કરી.
    આ સંમેલનમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોષ, ભાજપ સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજન ઝાંઝમેરા, મહામંત્રી શ્રીઓ મૂકેશભાઈ દલાલ, કિશોરભાઈ બિંદલ, કાળુભાઈ ભીમનાથ અને અન્ય હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

    More Details
  • 17 Jun, 2023

    બારડોલીનાં બાજીપુરા ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધિત

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં 9 વર્ષ સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણને સમર્પિત રહયા છે.
    સુરત જીલ્લા બારડોલીનાં બાજીપુરા ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધિત કરી, બારડોલીનાં નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાજીનું સ્મૃતિ સ્મરણ કર્યું.
    આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૌશલ કિશોરજી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, એસ.ટી.મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુનભાઈ ચૌધરી, તાપી જિલ્લા પ્રમુખ શ્રી જયરામભાઈ ગામીત, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 13 Jun, 2023

    શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે !

    શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે !
    આજે “શાળા પ્રવેશોત્સવ” અંતર્ગત નવસારી જિલ્લાના છાપરા, ઈટાળવા, વકાસરીયા અને તિઘરા પ્રાથમિક શાળાઓનાં ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી અનોખો આનંદ પ્રાપ્ત થયો. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા.
    આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.

    More Details
  • 11 Jun, 2023

    સુરત ખાતે “સંપર્કથી સમર્થન”

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતા સુરત ખાતે “સંપર્કથી સમર્થન” અંતર્ગત યોજાયેલી વિશાળ જાહેરસભાને સંબોધિત કરી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સુરતવાસીઓ સાથે સંવાદ સાધ્યો.
    આ કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ,પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 11 Jun, 2023

    રાજકોટના ગોંડલ ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત

    મોદી સરકારના કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ થવા પર રાજકોટના ગોંડલ ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરી કાર્યકર્તાશ્રીઓ અને નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરેલા સેવાકાર્યોનો લાભ માત્ર દેશને જ નહીં, વિદેશને પણ મળી રહ્યો છે. સેવા એ ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર રહ્યા છે, ઉપસ્થિત સૌ કાર્યકર્તાશ્રીઓ અને જનતા જર્નાદનનો આભાર વ્યક્ત કર્યો.
    કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ જનસભામાં પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી શ્યામ જાજુજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રીઓ, આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.

    More Details
1 46 47 48 49 50 68