આજે સુરત શહેરનાં ઉધના સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય રેલ્વેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવજીની વિશેષ ઉપસ્થિત વચ્ચે અમૃત ભારત ટ્રેન-ઉધનાથી બ્રહ્મપુર ભુવનેશ્વર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. આ ટ્રેન શરૂ થવાને કારણે સુરતમાં રહેતા ઓડિશાવાસીઓને વતન જવાની સુગમતામાં ઉમેરો થશે. મુસાફરી વધુ સરળ બનશે.
આજે નવસારી ખાતે 300થી વધારે બોરવેલ રિચાર્જ પ્રોજેક્ટનાં કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરી આનંદની લાગણી અનુભવી-આ સાથે પોષણ માહ નિમિત્તે પોષણ ઉત્સવ અને ભૂલકા મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.
માનનીય કેન્દ્રીય રેલ્વે મંત્રી શ્રી અશ્વિનીભાઇ વૈષ્ણવજીએ સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.
આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ભૂમિપૂજન કર્યું, આ ધન્ય પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. કોસમાડા ખાતે એન્થમ સર્કલ, આઇકોનિક રોડ ખાતે 3.51 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ ઈસ્કોન મંદિર પામશે.
આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે સુરત ખાતેનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી, ખૂબ ધન્યતાની લાગણી અનુભવી.