આજે વડોદરા ખાતે ઉત્તરપ્રદેશનાં મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે વેકિસનનાં વિશાળ બેનર સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો. સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, વડોદરા મેયરશ્રી કેયૂરભાઈ રોકડિયા, પ્રદેશ સહ-પ્રવકતાશ્રી ભરતભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ તથા મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યાં.
આઈશ્રી કામઈ ધામ ખાતે યોજાનાર સમરસ સમર્પણ વંદના કાર્યક્રમના આયોજનના ભાગરૂપે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં હાજરી આપી. આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી મહંત શ્રી શંભુનાથ ટુંડિયાજી, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી કિર્તીદાનભાઈ ગઢવી સહિત આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પ્રદેશ પદાધિકારીશ્રીઓ અને જિલ્લા પ્રમુખ મહામંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી ચર્ચા કરી.