આજરોજ જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહમાં હાજરી આપી, કથાનાં રસપાનનો લ્હાવો લીધો. પ્રભુ પાસે સર્વ ભક્તજનોના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા,શ્રી રાજેન્દ્રબાપુ તોરણીયા વાળા, સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુક, પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને જૂનાગઢ જીલ્લા પ્રભારી શ્રી ધવલભાઇ દવે ઉપસ્થિત રહ્યા.