Views Navigation

Event Views Navigation

Today
  • ડાંગ, દાહોદ અને ગાંધીનગર મહાનગરની કારોબારી

    પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે યોજાયેલી ડાંગ, દાહોદ અને ગાંધીનગર મહાનગરની કારોબારી બેઠકમાં સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર, ડાંગના જિલ્લા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, દાહોદના જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર, ગાંધીનગર

  • કે.ડી.પી. મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના હૃદયરોગ વિભાગ અને નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ

    આરોગ્ય સેવા અને સુવિધામાં ઉમેરો એ સ્વસ્થ સમાજ તરફનું એક મજબૂત કદમ છે. ગઇકાલે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કે.ડી.પી. મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના હૃદયરોગ વિભાગ અને નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કરવાનો અવસર સાંપડ્યો. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ,

  • નવસારી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કન્યાશાળા નંબર-01નું ખાતમુહૂર્ત

    આજે નવસારી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની કન્યાશાળા નંબર-01નું ખાતમુહૂર્ત કર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સદાય કન્યા શિક્ષણને મહત્વ આપ્યું છે. સૌ દિકરીઓ સાથે સંવાદ સાધી આનંદ પ્રાપ્ત થયો, સૌને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા. ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ દેસાઈ,શ્રી આર.સી.પટેલ, જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી જિગીષ શાહ સહીત મહાનુભાવો ઉપસ્થિત

  • “વિકાસતીર્થ” અભિયાન અંતર્ગત નવસારી જલાલપોરનાં આટ ખાતે નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત

    “વિકાસતીર્થ” અભિયાન અંતર્ગત નવસારી જલાલપોરનાં આટ ખાતે નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લઇ ધન્યતા અનુભવી, પૂજ્ય બાપુને ભાવપૂર્ણ વંદન કર્યા. આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ દેસાઈ,શ્રી આર.સી.પટેલ,જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ,પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

  • રાજકોટના ગોંડલ ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત

    મોદી સરકારના કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ થવા પર રાજકોટના ગોંડલ ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરી કાર્યકર્તાશ્રીઓ અને નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરેલા સેવાકાર્યોનો લાભ માત્ર દેશને જ નહીં, વિદેશને પણ મળી રહ્યો છે. સેવા એ ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર રહ્યા છે, ઉપસ્થિત સૌ કાર્યકર્તાશ્રીઓ અને

  • સુરત ખાતે “સંપર્કથી સમર્થન”

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતા સુરત ખાતે “સંપર્કથી સમર્થન” અંતર્ગત યોજાયેલી વિશાળ જાહેરસભાને સંબોધિત કરી. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સુરતવાસીઓ સાથે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ,પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ મંત્રી

  • શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે !

    શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે ! આજે “શાળા પ્રવેશોત્સવ” અંતર્ગત નવસારી જિલ્લાના છાપરા, ઈટાળવા, વકાસરીયા અને તિઘરા પ્રાથમિક શાળાઓનાં 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી અનોખો આનંદ પ્રાપ્ત થયો. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો તેમજ શિક્ષકો

  • બારડોલીનાં બાજીપુરા ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધિત

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં 9 વર્ષ સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણને સમર્પિત રહયા છે. સુરત જીલ્લા બારડોલીનાં બાજીપુરા ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધિત કરી, બારડોલીનાં નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાજીનું સ્મૃતિ સ્મરણ કર્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૌશલ કિશોરજી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી

  • ‘વેપારી તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન’

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, વિકાસ અને લોક-કલ્યાણનાં નવ વર્ષ પૂર્ણ થયા. નવસારી અને સુરત લોકસભા મતવિસ્તારનાં 'વેપારી તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન'માં યોજાયેલા સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ડાયમંડ, ટેક્સટાઇલ, જ્વેલર્સ, બિલ્ડર અને કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોનો સમાજ અને ઉદ્યોગનાં વિકાસમાં સવિશેષ

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નો કાર્યક્રમ આજે તાપી જીલ્લાનાં વાલોડનાં બુટવાડા ખાતે

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત”નો કાર્યક્રમ આજે તાપી જીલ્લાનાં વાલોડનાં બુટવાડા ખાતે સર્વ કાર્યકર્તાશ્રીઓ સાથે મળીને નિહાળ્યો. રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીઓ શ્રી મોહનભાઈ ઢોડીયા, શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ શ્રી જયરામભાઇ ગામીત, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.