30
April, 2024
Start Event Date
April 30, 2024 @ 6:30 pmEnd Event Date
April 30, 2024 @ 7:30 pm- This event has passed.
હું જ્યારે જ્યારે યુવાનોને મળું ત્યારે મને આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પંક્તિઓ યાદ આવે-“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” આજે પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી મને આ પંક્તિઓ સાર્થક થતી હોય એવું લાગ્યું.
હું જ્યારે જ્યારે યુવાનોને મળું ત્યારે મને આપણાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની પંક્તિઓ યાદ આવે-“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ!” આજે પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને મળી મને આ પંક્તિઓ સાર્થક થતી હોય એવું લાગ્યું.
સૌ યુવાનો સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે યુવાનોનાં ભવિષ્યને સલામત તો બનાવ્યું જ છે પણ એમનાં માટે વિપુલ તકોનું સર્જન પણ કર્યું છે.
લોકશાહીનો અવસર આંગણે આવીને ઊભો છે ત્યારે સૌ યુવાનોને મૂલ્યવાન મતદાન કરવા અપીલ કરી. પ્રથમ વખત મત આપી રહેલા યુવા મતદાતાઓને અભિનંદન પાઠવ્યા. ખૂબ સ્નેહ બદલ સૌનો આભાર 











