આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દ્વારકા ખાતે સુદર્શન સેતુ સહિત ₹4100 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી ગુજરાતનાં વિકાસની ઝડપને વધારી આપી. આ અવસરે ઉપસ્થિત રહેવાનું પરમ સૌભાગ્ય સાંપડ્યું.
આપણાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતનાં વિકાસની ગતિ હરણફાળ ભરી રહી છે. આ વિકાસકાર્યો થકી નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી” ગુજરાત માટે આશીર્વાદ સમી પુરવાર થઇ રહી છે !