07
September, 2024
Start Event Date
September 7, 2024 @ 11:00 amEnd Event Date
September 7, 2024 @ 12:00 pm- This event has passed.
આજે ગણેશ ચતુર્થીનાં પાવન દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ
આજે ગણેશ ચતુર્થીનાં પાવન દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી ચેસ્ટ વિભાગનાં વડા ડો. પારૂલબેન વડગામા અને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સંચાલિત ગુજરાતની બીજી અને દક્ષિણ ગુજરાતની પ્રથમ સરકારી એલર્જી લેબનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આ એલર્જી લેબમાં એલર્જીની તપાસથી લઇ એના નિદાન અને સારવાર સુધીની તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ એલર્જી લેબ થકી નાગરિકોને એલર્જીના નિદાન અને સારવારમાં વધુ સરળતા અને સુગમતા પડશે. સૌને અભિનંદન !!!








