સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ભૂમિપૂજન
હિંમતનગર ખાતે નિર્માણ પામનારા સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’નું ભૂમિપૂજન કરવાની ધન્યતા પ્રાપ્ત થઇ. ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ ફક્ત રાજકારણ જ નથી કરતા પણ સાથે-સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે અને એટલે જ સત્તામાં આવ્યા પછી પણ ભાજપાને એન્ટીઇન્કમ્બન્સી નડતી નથી. ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓએ પાર્ટીનાં “સેવા એ જ સંસ્કાર”નાં સંકલ્પને જાળવી રાખ્યો છે, જેનો મને અનહદ આનંદ છે.