માનનીય મોદીજીએ ફરી એકવાર ગુજરાતને આપી વિકાસની ભેટ….
માનનીય મોદીજીએ ફરી એકવાર ગુજરાતને આપી વિકાસની ભેટ….
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં હૈયે ગુજરાતનો વિકાસ વસ્યો છે, આજે ગુજરાતનાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમદાવાદ ખાતે ₹5,477 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું અને વિશાળ જનસભાને સંબોધી. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય અને ધન્યતા પ્રાપ્ત થઇ.
આ વિકાસલક્ષી પ્રકલ્પોમાં રેલવેના ₹1,404 કરોડના પ્રકલ્પો, શહેરી વિકાસ, મહેસૂલ વિભાગ અને અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ સુવિધાઓ માટેના ₹2,644 કરોડના પ્રકલ્પો, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટેના ₹1,122 કરોડના પ્રકલ્પો તેમજ માર્ગ અને મકાન વિભાગના ₹307 કરોડના પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી સહિત મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.