14
August, 2025
Start Event Date
August 14, 2025 @ 1:00 pmEnd Event Date
August 14, 2025 @ 2:00 pm- This event has passed.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે,
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત આજે નવસારી ખાતે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી આ યાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર સાંપડ્યો.
જ્યારે જ્યારે તિરંગાને લહેરાવવાની ધન્યતા સાંપડે છે, ત્યારે ત્યારે સમગ્ર અસ્તિત્વમાં એક અનેરી ઉર્જા અનુભવાય છે. આજે યોજાયેલી આ યાત્રામાં નવસારીનાં નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા. આનંદ અને ગર્વની વાત એ છે કે આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. આજનાં યુવાનોને દેશભક્તિના રંગે રંગાયેલા જોઇ ખૂબ આનંદ અનુભવાય છે.
આ યાત્રા સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ “હર ઘર સ્વચ્છતા” પર પણ ભાર મૂક્યો છે. આ યાત્રામાં જોડાયેલા સૌએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો !
આજની આ તિરંગાયાત્રા ઉર્જામય બની રહી !










