પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં ભાગ લેનાર શ્રદ્ધાળુઓને મેડિકલ ઇમરજન્સી દરમિયાન ત્વરિત સારવાર મળી રહે એ હેતુથી આજે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુઘાંશુ મહેતા ફાઉન્ડેશનનાં ઉપક્રમે મહાકુંભ ખાતે રવાના થઇ રહેલી વોટર એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી.
આ વોટર એમ્બ્યુલન્સ ગંગા નદીનાં તટ પર તૈનાત રહેશે અને જે દર્દીઓને જરૂર ઊભી થાય એમને નિશુલ્ક સેવા પૂરી પાડશે. આ સુવિધાને કારણે દર્દી જળમાર્ગે ઝડપથી હોસ્પિટલ પહોંચી શકશે અને યોગ્ય સારવાર મેળવી શકશે. મહાકુંભનાં શ્રદ્ધાળુઓ માટે સેવાનાં આવા પરમ કાર્ય બદલ શ્રી સુધાંશુભાઇ મહેતાને અભિનંદન પાઠવું છું.