ગુજરાતનાં મારા સૌ કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન લોકસભાનાં ઇલેક્શનમાં ગુજરાત અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો-એ બદલ સુરત ખાતે કાર્યકર્તાશ્રીઓનો આભાર માનવા એક વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓનો હૃદયથી આભાર માની અભિનંદન પાઠવ્યા. ગુજરાત ભાજપાનાં કાર્યકર્તાશ્રીઓ ચૂંટણીમાં રેકોર્ડ જીત મેળવવાનો પ્રયાસ કરતા હોય છે. 2019 અને 2022માં ભાજપને જે મતો મળ્યા એનાં કરતા ટકાવારી વધી, આ માટે સૌથી પહેલો શ્રેય માનનીય પ્રધાનમંત્રી શ્રી@narendramodi સાહેબને, બીજો શ્રેય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @AmitShah સાહેબને, ત્રીજો શ્રેય આ દેશનાં નાગરિકોને અને ચોથો શ્રેય કાર્યકર્તાશ્રીઓનાં અથાગ પરિશ્રમને ફાળે જાય છે ! સૌ કાર્યકર્તાશ્રીઓને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું !