માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થતા આજે સુરત ખાતે ‘સંપર્કથી સમર્થન’ અભિયાન અંતર્ગત પદ્મશ્રી મથુરભાઈ સવાણીની શુભેચ્છા મુલાકાત લઈ એમને ભાજપા સરકારનાં વિવિધ કાર્યો અને યોજનાઓની માહિતી આપી, મથુરભાઇને મળીને આનંદ સાથે ધન્યતા અનુભવી.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.