આજે દાહોદનાં ગરબાડા વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી. કાર્યકર્તાઓનાં અપ્રતિમ સ્નેહ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો. નવા વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા આહવાન કર્યું.
આ સમારોહમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન પરમાર, જિલ્લા પ્રભારી શ્રી સતીષભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.