આ પળ મારા સ્મૃતિપટ પર સદાય જીવંત રહેશે આપ સૌનો અપાર સ્નેહ, અપાર સમર્થન મારી ઉર્જા બની રહેશે ! કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ આજે સુરત પરત ફર્યો ત્યારે સૌ શહેરીજનોએ ભાવભીનું, ભવ્ય સ્વાગત કર્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલા શહેરીજનોનાં સ્નેહથી હૈયું ભીનું થઇ ગયું. સુરત-નવસારી-ગુજરાતનાં નાગરિકોએ મને ખૂબ સ્નેહ આપ્યો છે અને એમનો સ્નેહ, સહકાર અને સમર્થન સદાય મારી તાકાત બન્યા છે. ભવ્યાતિભવ્ય સ્વાગત બદલ રાજ્યકક્ષાનાં મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, અધિકારી-પદાધિકારીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ અને સુરત-નવસારીનાં મારા નગજરનોનો નતમસ્તક આભાર માનું છું