16
October, 2023
Start Event Date
October 16, 2023 @ 12:00 pmEnd Event Date
October 16, 2023 @ 1:30 pm- This event has passed.
આજે સુરેન્દ્ર નગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન
માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ગુજરાતનાં દરેક જીલ્લામાં ભાજપાનાં કાર્યાલયનાં નિર્માણનો સંકલ્પ આપ્યો હતો, આ સંકલ્પને સાકાર કરવા આજે સુરેન્દ્ર નગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ‘નમો કમલમ’નું ઉદ્ઘાટન કર્યું.
દેશનાં તમામ જીલ્લાનાં કાર્યકર્તાઓએ શ્રેષ્ઠ કાર્યાલયનું મોડલ જોવું હોય તો સુરેન્દ્ર નગર આવવું પડે. આ કાર્યાલયનાં શ્રેષ્ઠ નિર્માણ બદલ સર્વ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ પાર્ટીનાં દરેક નિર્ણયને વધાવી લે છે એ માટે એમને વંદન પાઠવ્યા.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.








