આજે સુરત મહાનગર ખાતે સુરત એરપોર્ટને ધમધમતું કરવાનાં પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે “સુરતનું ટેકઓફ” પુસ્તકનું વિમોચન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આજે સુરત મહાનગર ખાતે સુરત એરપોર્ટને ધમધમતું કરવાનાં પ્રયાસોનાં દસ્તાવેજીકરણ રૂપે “સુરતનું ટેકઓફ” પુસ્તકનું વિમોચન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી.
આ પ્રસંગે ફ્લાઇટ રોકો આંદોલનથી લઇ સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યાં સુધીનાં સૌ દિવસો આંખ સામેથી પસાર થઇ ગયા. સુરતનાં એરપોર્ટની વિશેષતા એ છે કે સુરતનું એરપોર્ટ સુરતનાં લોકો દ્વારા બન્યું છે ! આખા દેશમાં કોઇ એવું રાજ્ય નથી, કોઇ એવું શહેર નથી કે કોઇ એવું એરપોર્ટ નથી જ્યાં ફ્લાઇટ ચાલુ કરવા માટે બેંક ગેરંટી આપવામાં આવી હોય !
સુરતને મળેલી એર કનેક્ટિવિટી અને ઇન્ટરનેશનલ દરજ્જાનાં એરપોર્ટે સુરતનાં વિકાસને પાંખો પહેરાવી છે, આ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યક્ત કર્યો.
આ પુસ્તક તૈયાર કરનાર કોર્પોરેટર શ્રી દિનેશભાઇ રાજપુરોહિત અને પુસ્તક સમિતિને હાર્દિક અભિનંદન પાઠવ્યા.