Events Footer

Events

Loading Events

« All Events

12 October, 2024

Start Event Date

October 12, 2024 @ 4:00 pm

End Event Date

October 12, 2024 @ 5:00 pm
  • This event has passed.

આજે પૂજ્ય સંતશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નવસારી ખાતે સાંસ્કૃતિક ગૌધામનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો,

આજે પૂજ્ય સંતશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે નવસારી ખાતે સાંસ્કૃતિક ગૌધામનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો, આ સાથે જ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી પરમ ધન્યતા અને સૌભાગ્યની લાગણી અનુભવી !
પરમ પૂજ્ય સંતશ્રીઓ દ્વારા ખૂબ જ ઓછા સમયમાં ગૌ શાળા અને મંદિરનું નિર્માણ કરાયું છે-આ મંદિરની ડિઝાઇન પણ સર્વ સંતશ્રીઓએ જ કરી છે એ માટે સૌને અભિનંદન સાથે વંદન પાઠવ્યા !
સ્વામી નારાયણ સંપ્રદાય સદાય શિસ્ત, સ્વચ્છતા અને શિક્ષણનો આગ્રહી રહ્યો છે. આ સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રમાં ઘણાં વર્ષોથી દિવસમાં એક રૂપિયાનાં ખર્ચે બાળકોને શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરાઇ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સેવાકીય ભાવના સાથે કાર્ય કરે છે-અને સમાજને નવી રાહ ચીંધે છે. અત્યાર સુધીમાં આ સંસ્થામાં 1 લાખ 95 હજારથી વધારે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું છે. મને વિશ્વાસ છે કે વિશ્વમાં કોઇપણ મોટી સંસ્થાનો આવો રેકોર્ડ નહીં હોય. આ અંગે સૌને અભિનંદન પાઠવ્યા !!