આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય ખેડૂત સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું.
આજે નવસારી ખાતે યોજાયેલા ભવ્ય ખેડૂત સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય મળ્યું.
મને નવસારી અને સુરત જીલ્લાનાં ખેડૂતશ્રીઓનું સંગઠન જોઇ ખૂબ આનંદ થાય છે, ખેડૂતોનું સંગઠન કેવું હોવું જોઇએ-એ નવસારી અને સુરત જીલ્લાનાં ખેડૂતશ્રીઓ પાસે શીખવા જેવું છે.
આજે સૌ ખેડૂતશ્રીઓનાં ચહેરા પર આપણાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પરત્વેનો વિશ્વાસ છલકાઇ રહ્યો હતો, મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા અને નવસારીનો રેકોર્ડ જાળવી રાખવા સુરત અને નવસારી જીલ્લાનાં ખેડૂતશ્રીઓ તૈયાર છે.