માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત વીરોને વંદન કરવા આહવાન કર્યું
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત વીરોને વંદન કરવા આહવાન કર્યું છે. આ અભિયાન દ્વારા સમગ્ર દેશભરમાંથી કળશ યાત્રા નીકળી રહી છે.
જે અંતર્ગત આજે સુરત ખાતે 30 વોર્ડની કળશ યાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું અને ધન્યતાની લાગણી અનુભવી. વીરોને સહૃદય વંદન પાઠવ્યા.
આ અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.