૧૫મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચીત ધારાસભ્યો માટે બે-દિવસીય સંસદીય કાર્યશાળાનો આરંભ
લોકસભા અધ્યક્ષ માનનીય શ્રી ઓમ બિરલાજીએ ગાંધીનગર ખાતે ૧૫મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચીત ધારાસભ્યો માટે બે-દિવસીય સંસદીય કાર્યશાળાનો આરંભ કરાવ્યો, ધારાસભ્યશ્રીઓ સંસદીય કાર્યપદ્ધતિથી પરિચિત થાય અને એમને નિષ્ણાંતોનું માર્ગદર્શન મળી રહે એ હેતુથી શરૂ આ કાર્યશાળાનું આયોજન કરાયું.
આ કાર્યશાળાની મદદથી જનતા જનાર્દન માટેની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે, ધારાસભ્યશ્રીઓ વધુ અસરકારક રીતે ગૃહમાં વિકાસનાં મુદ્દાઓ પર ચર્ચા કરી જનતા-જનાર્દનનાં સર્વોપરિ હિતને અગ્રેસર રાખી પ્રશ્નોનાં ઉકેલ લાવી શકશે.
મને વિશ્વાસ છે કે આ કાર્યશાળા જનતાનું પ્રતિનિધિત્વ કરી રહેલા સૌ જન-પ્રતિનિધિઓમાં રાષ્ટ્રહિતની ભાવનાને વધુ પ્રબળ બનાવશે.