Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 23 Jan, 2023

    શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત

    સુરેન્દ્રનગર વોર્ડ નંબર 4નાં સભ્ય શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી.
    પ્રદેશ કારોબારીની બેઠક બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા, દંડક શ્રી જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઇ વરમોરા સાથે હળવાશની પળો પસાર કરી. ઉપસ્થિત રહેલા વોર્ડનાં સભ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.

    More Details
  • 27 Dec, 2022

    પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી

    અમદાવાદમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
    પ્રગટ બ્રમ્હસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિ વિશેષ છે, એમનાં વિચારો, એમનાં સંસ્કારો માત્ર ગ્રંથો સુધી સિમિત ન રહેતા વિશ્વ સ્તરે જન-જન સુધી પહોંચ્યા છે. એમનાં ચરણોમાં વંદન કરું છું.
    આ મહોત્સવમાં જોડાયેલા સર્વ ભક્તો અને સ્વયંસેવકો પ્રમુખ સ્વામીજીનાં આચાર-વિચારને હજજારો લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, સૌને શુભેચ્છાઓ !
    આ મહોત્સવમાં અપાર ધન્યતાનો અનુભવ થયો.
    જય સ્વામીનારાયણ !

    More Details
  • 24 Dec, 2022

    સ્વામિનારાયણ ગુરૂકૂળ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે રાજકોટ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકૂળ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ ઉજવાયો, આ પાવન અવસરે ઉપસ્થિત રહી પૂજ્ય સંતશ્રીઓનાં આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
    પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને પૂજ્ય ધર્મજીવનદાસ સ્વામીજીની પ્રેરણા અને આશીર્વાદથી 75 વર્ષ પહેલા ગુરૂકુળની સ્થાપના કરાઇ હતી. જ્યારે કાલખંડમાં દુનિયાનાં દેશોની ઓળખ એમનાં રાજ્યો અને રાજાઓથી થતી હતી ત્યારે ભારતને ભારતભૂમિનાં ગુરૂકુળથી ઓળખાતું હતું. સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્થા ભારતીય મૂલ્યો અને આદર્શોને સાચવવાનું કામ કરી રહી છે. ભગવાન સ્વામિનારાયણનાં નામ માત્રથી અંતરમાં ચેતનાનો સંચાર થાય છે.
    આ સૌભાગ્યપૂર્ણ અવસરે ઉપસ્થિત રહી ધન્યતા અનુભ

    More Details
  • 24 Dec, 2022

    “દિકરી જગત જનની” કાર્યક્રમ

    “દિકરી જગત જનની” કાર્યક્રમ અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પી.પી.સવાણી અને જ્હાનવી લેબગ્રો ગૃપ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં પિતાની છત્રછાયા ગુમાવનાર 300 દિકરીઓનાં કન્યાદાનનાં શુભ અને પાવન ક્ષણોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મેળવી ધન્યતા અનુભવી. પ્રભુતામાં પગલાં પાડનારા સર્વ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યા.
    કેન્દ્રીય-રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સુરત શહેરના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘવાલા તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 19 Dec, 2022

    સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત સ્પાર્કલ એક્ઝીબિશનની મુલાકાત

    સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત સ્પાર્કલ એક્ઝીબિશનની મુલાકાત લેવાનો અવસર સાંપડયો. આ એક્ઝીબિશનમાં રજૂ થયેલી ડાયમંડ અને ગોલ્ડની બેનમૂન ડિઝાઇન્સ જવેલરીનાં ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો અને આંત્રપ્રિન્યોર્સની બેનમૂન કારીગરીનાં દર્શન કરાવે છે, જે વિશ્વનાં ફલક પર સુરત શહેરને અગ્રેસર રાખે છે.
    કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ અને શાસક પક્ષના નેતા અમિતસિંગ રાજપૂત તેમજ કોર્પોર્ટરશ્રી અને ચેમ્બર ઓફ કોમર્સનાં સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 17 Dec, 2022

    સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા એક્ઝીબિશનની મુલાકાત

    સુરત શહેર ડાયમંડનું હબ ગણાય છે, હવે સુરતની જ્વેલરી પણ વૈશ્વિક સ્તરે વખણાઇ રહી છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા એક્ઝીબિશનની મુલાકાત લેવાનો અવસર સાંપડ્યો. અહીં ગોલ્ડ અને ડાયમંડની જ્વેલરીની બેનમૂન ડિઝાઇન્સ પ્રસ્તુત કરાઇ છે. સર્વને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
  • 23 Oct, 2022

    સુરતનાં હીરા ઉદ્યોગ અગ્રણી શ્રી નાગજીભાઇ સાકરિયાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત

    સુરતનાં હીરા ઉદ્યોગ અગ્રણી શ્રી નાગજીભાઇ સાકરિયાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં 90 વર્ષનાં માતૃશ્રી દવલબેનને મળી ધન્યતા અનુભવી, આશીર્વાદ મેળવ્યા, માતૃશ્રી શતાયુ પામે એવી ઇશ્વરને પ્રાર્થના કરી. નાગજીભાઇનાં પરિવારજનોને મળી આનંદ થયો. સૌને દિવાળીનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 23 Oct, 2022

    સુરતનાં હીરા ઉદ્યોગનાં અગ્રણીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લઇ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા

    સુરતનાં હીરા ઉદ્યોગનાં અગ્રણીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લઇ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણાઓ કરી. શ્રી નાગજીભાઇ સાકરિયા, શ્રી લવજીભાઇ ગુજરાતી, શ્રી વલ્લભભાઇ લખાણીનો સહૃદય આભાર વ્યક્ત કરું છું.
    શ્રી શૈલેષભાઇ લૂખી, શ્રી પંકજભાઇ ગઢીયા, શ્રી વલ્લભભાઇ કાકડિયા, શ્રી ભરતભાઇ અનીડા, શ્રી વીરજીભાઇ પાટી, શ્રી હિંમતલાલ અનીડા, શ્રી પોપટભાઇ જનની, શ્રી મનુભાઇ ડાવરિયા, શ્રી ધનજીભાઇ, શ્રી વિનુભાઇ કીકાણી, શ્રી નિતીનભાઇ, શ્રી નરેશભાઇ કારજાળા, શ્રી રાજુભાઇ ઉગામેડી, શ્રી ધર્મેશભાઇ, શ્રી કિશોરભાઇ, શ્રી પ્રકાશભાઇ, શ્રી શૈલેષભાઇ બગદાણાવાળા, શ્રી સંજયભાઇ લખાણી, શ્રી અશ્વિનભાઇ કુકડિયા, શ્રી ડી.કે.ભાઇ, શ્રી મથુરભાઇ સોજીત્રા, શ્રી લીંબાભાઇ જોધાણી ઉપસ્થિત રહ્યા એનો વિશેષ આનંદ છે.

    More Details
  • 05 Oct, 2022

    સુરત ખાતે ધ કલ્યાણ જનતા સહકારી બેંકની સુરત શાખાનું ઉદઘાટન કર્યું, સર્વ હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.

    સુરત ખાતે ધ કલ્યાણ જનતા સહકારી બેંકની સુરત શાખાનું ઉદઘાટન કર્યું, સર્વ હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.

    More Details
  • 03 Oct, 2022

    સુરત સમસ્ત પાટીદાર ભવન ખાતે શ્રી જીવરાજભાઇ ધારૂકાવાળાનાં 76મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સેવાકીય કાર્યક્રમોનાં પ્રારંભ નિમિત્તે હાજરી આપી.

    સુરત સમસ્ત પાટીદાર ભવન ખાતે શ્રી જીવરાજભાઇ ધારૂકાવાળાનાં 76મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સેવાકીય કાર્યક્રમોનાં પ્રારંભ નિમિત્તે હાજરી આપી.
    જીવરાજભાઇને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને સંતશ્રીનાં આશીર્વાદ લીધા. કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, સુરત શહેર ભાજપા પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, પૂજ્ય સંતશ્રી નવતમ સ્વામી, સામાજિક અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

    More Details
  • 31 Aug, 2022

    ભરૂચની SVMIT કોલેજ સામે આવેલી હયાત પેલેસ હોટલનું ઉદ્ઘાટન કર્યું.

    ભરૂચની SVMIT કોલેજ સામે આવેલી હયાત પેલેસ હોટલનું ઉદ્ઘાટન કર્યું.

    More Details
  • 17 May, 2022

    રાજકોટનાં જે.એમ.જે ગ્રુપ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી.

    નવ દંપતિઓને સુમધુર દામ્પત્યજીવનની શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા. વરિષ્ઠ નેતા શ્રી વજુભાઈ વાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી સહિત સંતો-મહંતો, હોદ્દેદારો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

    More Details
1 23 24 25 26 27 29