આજે જૂનાગઢની પુણ્ય ધરા પર જૂનાગઢ મહાનગર કાર્યાલય ‘શ્રી ગિરનાર કમલમ્’નું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, આ સાથે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સંત-મહંતશ્રીઓનાં આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક નોંધાવે અને છવ્વીસે છવ્વીસ સીટ પર પાંચ લાખથી વધુની લીડ સાથે ભવ્ય વિજય પ્રાપ્ત થાય એ માટે સૌ કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું.






