આજે કચ્છનાં ભૂજ ખાતે યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો. પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌને ગુજરાત લોકસભાનાં દરેક વિસ્તારમાં સવા લાખ પ્રાથમિક સભ્ય નોંધાવી પંડિત દિન દયાળજીની જન્મતિથિએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અપીલ કરી.
દેશમાં સૌથી વધારે પ્રાથમિક સભ્યો ગુજરાતમાંથી બને એ દિશામાં કાર્ય કરવાનું સૌને આહવાન કર્યું !







