આજે લાભ પાંચમનાં શુભ દિવસે સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ ઝોન વિસ્તારોમાં અંદાજિત રૂપિયા 39.79 કરોડનાં ખર્ચે સાકારિત થનારા 13 પ્રકલ્પોનું લોકાર્પણ અને અંદાજિત રૂપિયા 1000.56 કરોડનાં ખર્ચે 72 પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કર્યું. સુરત શહેર વિકાસનાં રસ્તે પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. આ ખાતમૂહુર્ત અને લોકાર્પણનાં વિકાસકાર્યોની મદદથી સુરત શહેરનાં નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થશે.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, મહાનગરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.






