આજે મોરબી ખાતે “શ્રી કમલમ”નું ખાતમૂહુર્ત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. કાર્યાલય એ જનસેવાને જન-જન સુધી પહોંચાડવાનું એક સરનામું છે ! ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તા જનસેવાનાં યજ્ઞમાં પોતાનું પૂર્ણ યોગદાન પાઠવી રહ્યા છે, જેનો મને અપાર આનંદ છે.
આ પ્રસંગે મોરબીનાં કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળી ધન્યતા અને આનંદની લાગણી અનુભવી.
પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડીયા, ડૉ.ભરતભાઈ બોઘરા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, જિલ્લાના પ્રભારી ડૉ.હિતેશભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.




