આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા યુવા મોરચાની ‘પ્રદેશ કારોબારી બેઠક’ તેમજ ‘મંડલ સશક્તિકરણ કાર્યશાળા’માં હાજરી આપી, સૌને માર્ગદર્શન પાઠવ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી અર્પિતાજી બાડજેના, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ સહિત હોદ્દેદારો અને મોરચાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા.






