નવસારી ખાતે યોજાયેલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
માનીનય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સુખાકારી, અપ્રતિમ વિકાસનાં નવ વર્ષ પૂર્ણ કર્યા એ નિમિત્તે મોદી સરકારનાં વિકાસકાર્યો, વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરી. ઉપસ્થિત રહેલા સર્વ નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રીઓ શ્રી આર. સી. પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી સંદીપભાઈ દેસાઈ, શ્રીમતી સંગીતાબેન પાટીલ, જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી ભીખુભાઈ આહીર, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજભાઈ ઝાંઝમેરા, જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી જનકભાઈ બગદાણા તેમજ પદાધિકારીશ્રીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.









