સુપોષણ કીટ અને 108 ગાડી ઘાસ વિતરિત કર્યા. રજતતુલા બદલ અને સૌના તરફથી મળેલા અપ્રતિમ સ્નેહ બદલ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી કિશોરભાઈ મકવાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
ભુજ ખાતે તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ તેમજ જશવંતભાઈ કલ્યાણજીભાઈ ગાંધી IAS ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ
