નતમસ્તક સર્વ શહીદોને કરીએ યાદ એમની સ્મૃતિમાં ગુજરાતનું મૂલ્યવાન યોગદાન !! Footer

નતમસ્તક સર્વ શહીદોને કરીએ યાદ એમની સ્મૃતિમાં ગુજરાતનું મૂલ્યવાન યોગદાન !!

નતમસ્તક સર્વ શહીદોને કરીએ યાદ
એમની સ્મૃતિમાં ગુજરાતનું મૂલ્યવાન યોગદાન !!
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા “મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી અમૃત કળશ સાથેનાં 75 ઈ-વ્હીકલનું પ્રસ્થાન કરાવતા હૃદય ભાવવિભોર બન્યું. સમગ્ર ચેતનામાં એક અનોખી ઉર્જા અનુભવાઇ.
દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમમાં આ “અમૃત કળશ” અર્પણ કરાશે.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અભિયાનમાં ઈન્ચાર્જ શ્રી મયંકભાઈ નાયક, વડોદરા મહાનગરના પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.