આજે યુગપ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીની પુણ્ય ઉપસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીર યુનિવર્સિટીનાં ચોથા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા અત્યંત આનંદ અને હર્ષની લાગણી અનુભવી ! આ પદવીદાન સમારોહમાં
15 વિદ્યાશાખાના 2611 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ કરાઇ.
આ પદવીદાન સમારોહમાં આજનાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અવસર સાંપડ્યો. ઉપસ્થિત સૌ યુવાનો ટેકનોલોજીની આંગળી પકડી જ્ઞાનનાં માર્ગે પોતાનાં કર્તવ્યપથને વધુ ને વધુ ઉજ્જવળ બનાવતા રહે એવા આશીર્વાદ પાઠવ્યા.












