અસત્ય પર સત્યનાં વિજયનો જય હો !!!
આજે સુરત મહાનગર ખાતે લિંબાયતનાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા રાવણ દહન કરાયું, આ પળે ઉપસ્થિત રહી અસત્ય પર સત્યનાં જયઘોષને વધાવ્યો.
ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજનભાઇ પટેલ, સુરત શહેર સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.