Views Navigation

Event Views Navigation

Today
  • અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો

    આજે અરવલ્લી જીલ્લાનાં મોડાસા-ધનસુરા અને માલપુરનાં તાલુકા કાર્યાલયનું લોકાર્પણ કરવાનો સુખદ અવસર સાંપડ્યો. આ સુખદ પ્રસંગે ધનસુરા, મોડાસા અને બાયડ કોંગ્રેસનાં કાર્યકર્તાશ્રીઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. મહાનવિભૂતિઓનાં જીવન-કવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે એ હેતુથી અરવલ્લી જીલ્લામાં કાર્યકર્તાશ્રીઓનાં સહકારથી 12 મહાનવિભૂતિઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, સમગ્ર રાજ્યમાં અરવલ્લી જીલ્લો પ્રથમ જીલ્લો છે-જેણે

  • આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું

    આજે સુરત ખાતેનાં મારા નિવાસ સ્થાને સિવિલ હોસ્પિટલની નર્સ બહેનો સાથે રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવ્યું. નર્સ બહેનોની સુખાકારી અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટે ઇશ્વરને પ્રાર્થના કરી. સર્વ બહેનોનાં સ્નેહ માટે એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. સર્વ નર્સ બહેનો ખૂબ સ્નેહ અને કાળજી સાથે દર્દીઓની સેવા કરે છે. એમનાં આ સેવા કાર્યને મનોમન વંદન કર્યા.

  • માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું.

    આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું. નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાપૂર્વક અને સુવિધાપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એ માટે આ અદ્યતન ભવનનું નિર્માણ કરાયું છે. આ ભવન પોતાનાં પ્રશ્નોની રજૂઆત લઇને કે સરકારી સેવા કે યોજનાનો લાભ લેવા માટે આવતા નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કરશે. માનનીય

  • ૨૫-નવસારી લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે આગામી કાર્યક્રમોની ચર્ચા કરી માર્ગદર્શન પાઠવ્યું.

    ૨૫-નવસારી લોકસભામાં સમાવિષ્ટ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ સાથે આગામી કાર્યક્રમોની ચર્ચા કરી માર્ગદર્શન પાઠવ્યું.

  • વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો

    વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી દિનુમામા અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્યશ્રીઓ શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી અક્ષયભાઈ

  • પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે’DIGICONNECT કાર્યાલય’ તથા ‘BJP Gujarat Selfie Portal’નું ઉદ્ઘાટન કર્યું.

    આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે'DIGICONNECT કાર્યાલય' તથા 'BJP Gujarat Selfie Portal'નું ઉદ્ઘાટન કર્યું. DIGICONNECT કાર્યાલય એ એક અનોખી પહેલ છે, જેની મદદથી વિશેષ કાર્યક્રમો અને માહિતીઓને જીલ્લા-મહાનગરનાં કાર્યોલયો પર લાઇવ બ્રોડકાસ્ટ કરાશે, સેલ્ફી પોર્ટલની મદદથી કાર્યકર્તાઓ પ્રદેશ કે જીલ્લા કાર્યક્રમનું ગ્રાફિક્સ પોતાનાં નામ અને ફોટોગ્રાફ સાથે બનાવી શકશે, આ પહેલથી કાર્યક્રમો અને મહત્વની માહિતી

  • જય શ્રી કૃષ્ણ….

    જય શ્રી કૃષ્ણ…. આજે જન્માષ્ટમીનાં પાવન અવસરે સુરત ખાતે સુરત શહેર ગોવિંદા સમિતિ દ્વારા યોજાયેલા દહીંહાંડી કાર્યક્રમમાં હાજરી આપી, કૃષ્ણમય વાતાવરણ વચ્ચે ધન્યતા અનુભવી. #ShriKrishnaJanmashtami

  • હાથી-ઘોડા-પાલકી, જય કન્હૈયાલાલ કી….

    હાથી-ઘોડા-પાલકી, જય કન્હૈયાલાલ કી…. ગઇકાલે રાત્રે જન્માષ્ટમીનાં પાવન અવસરે યુથ ફોર ગુજરાત દ્વારા લિંબાયત વિધાનસભામાં આયોજિત ગુજરાતની સૌથી ઊંચી દહીં-હાંડી મહોત્સવમાં હાજરી આપી ધન્યતા અનુભવી. ગુજરાતની 35 ફૂટ ઊંચી દહીં-હાંડી મહોત્સવમાં વિવિધ મંડળોએ ભાગ લીધો, સૌનો જોશ અને ઉત્સાહ જોઇ આનંદની લાગણી અનુભવી. આખું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. આ પ્રસંગે લિંબાયત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી

  • ‘શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ – 2023

    આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઝીંગા ઉછેક કરતા ખેડૂતો માટે યોજાયેલી 'શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ - 2023'માં હાજરી આપી. ઝીંગા ઉછેર કરતા ખેડૂતો સાથે સંવાદ સાધી એમને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. આ કોન્ક્લેવમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત ઝીંગાની

  • આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે વડોદરા ખાતે વડોદરા મહાનગરના કાર્યાલયનો શિલાન્યાસ કરવાનો અવસર સાંપડ્યો.

    આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે વડોદરા ખાતે વડોદરા મહાનગરના કાર્યાલયનો શિલાન્યાસ કરવાનો અવસર સાંપડ્યો. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, મેયર શ્રીમતી પિન્કીબેન સોની સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.