પોલીસ અને એમનાં પરિવારની સુખાકારી માટે નવસારીનાં ચીખલી ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે પોલીસ આવાસો લોકાર્પિત
સલામતી માટે દિવસ-રાત ખડેપગે રહેતી પોલીસ અને એમનાં પરિવારની સુખાકારી માટે નવસારીનાં ચીખલી ખાતે અત્યાધુનિક સુવિધાઓ સાથે પોલીસ આવાસો લોકાર્પિત કર્યા અત્યંત આનંદની લાગણી અનુભવી. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પિત થયેલા આ આવાસો ફરજ સ્થળની પાસે જ આવેલા હોવાને કારણે પોલીસકર્મીઓની સરળતા અને સુગમતામાં ઉમેરો થશે અને કાર્યદક્ષતા પણ વધશે